બાબર | |||||
---|---|---|---|---|---|
બાબર | |||||
બાબરનામા ૧૫૮૯-૯૦માંથી બાબરની છબી | |||||
૧લો મોગલ બાદશાહ | |||||
શાસન | ૩૦ એપ્રિલ ૧૫૨૬ – ૨૬ ડિસેમ્બર ૧૫૩૦ | ||||
અનુગામી | હુમાયુ | ||||
જન્મ | ૧૪ ફેબ્રુઆરી, ૧૪૮૩ અન્દિજાન, મુગલિસ્તાન (હાલમાં ઉઝબેકિસ્તાન) | ||||
મૃત્યુ | ૨૬ ડિસેમ્બર, ૧૫૩૦ આગ્રા, મોગલ સામ્રાજ્ય (હાલમાં ભારત) | ||||
અંતિમ સંસ્કાર | |||||
જીવનસાથીઓ | આયેશા સુલ્તાન બેગમ ઝૈનાબ સુલ્તાન બેગમ માસુમા સુલ્તાન બેગમ માહમ બેગમ દિલ્દાર આગા બેગમ ગુલ્નાર અગાચા ગુલરુખ બેગમ મુબારિકા યોસેફઝાઇ નારગુલ અગાચા સાલિહા સુલ્તાન બેગમ | ||||
વંશજ | હુમાયુ, પુત્ર કરમાન મિર્ઝા, પુત્ર અસ્કારી મિર્ઝા, પુત્ર હિન્દાલ મિર્ઝા, પુત્ર ફક્ર-ઉન-નિસા, પુત્રી ગુલરંગ બેગમ, પુત્રી ગુલબંદન બેગમ, પુત્રી ગુલચેહરા બેગમ, પુત્રી અલ્તુન બિશિક, મનાતો પુત્ર | ||||
| |||||
રાજવંશ | તૈમુર | ||||
વંશ | મોગલ સામ્રાજ્ય | ||||
પિતા | ઉમેર શેખ મિરઝા ૨, ફરઘાના નો અમીર | ||||
માતા | કુલ્તુઘ નિગાર ખાતુમ | ||||
ધર્મ | મુસ્લિમ |
ઝાહીર-ઉદ-દિન મહંમદ બાબર (૧૪ ફેબ્રુઆરી ૧૪૮૩, ૨૬ ડિસેમ્બર ૧૫૩૦) મધ્ય એશિયાનો એક યોદ્ધા હતો, જેણે ઘણા પરાજયો બાદ ભારતમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તે પિતાની તરફથી તૈમુરલંગ અને માતાની તરફથી ચંગીઝખાનનો વારસ હતો. સાંસ્કૃતિક રીતે તે પર્શિયન સંસ્કૃતિ વડે પ્રભાવિત હતો. જેથી તેના અને તેના વારસો વડે ભારતમાં પર્શિયન સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો હતો.[૧][૨]
બાબરના ગંભીર રીતે બિમાર પડ્યા પછી, તેના સૌથી મોટા પુત્ર હુમાયુને બોલાવવામાં આવ્યો હતો.[૩] બાબર ૪૭ વર્ષની વયે મૃત્યુ પામ્યો અને હુમાયુને ઉત્તરાધિકારી બનાવતો ગયો. તેની વસિયત મુજબ, તેના શરીરને કાબુલ, અફઘાનિસ્તાનમાં ખસેડવામાં આવ્યું જે અત્યારે બાગ-એ બાબર (બાબરનો બગીચો)માં રાખેલ છે.[૩]
આ ભારતીય ઈતિહાસ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |