વિકિપીડિયામાં લખાયેલા વિધાનોની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો સંદર્ભ આપવો જરૂરી છે. (એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનને સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.
સંદર્ભ આપવા માટે જરૂરી વાક્યનાં અંતે <ref>અહીં જરૂરી સંદર્ભ, જેમકે પુસ્તકનું નામ, વેબપેજની કડી વગેરે</ref> આ પ્રમાણે લખવું.
દાખલા તરીકે, <ref>{{cite web|title=વેબ પાનાંનું શીર્ષક|url=વેબ પાનાંની કડી|accessdate=સંદર્ભ લીધાની તારીખ}}</ref>
આપમેળે સંદર્ભ ઉમેરવા માટે "ટાંકો" અથવા "cite" સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે અહીં આપેલું ઉદાહરણ જોવું:
ત્યાર પછી, લેખને અંતે નીચે પ્રમાણે લખવું:
== સંદર્ભ ==
{{Reflist}}
અથવા,
{{સંદર્ભયાદી}}
પણ લખી શકાય છે. આથી મુખ્ય લેખમાં, આપેલ સંદર્ભનો ક્રમાંક દેખાશે અને તેને સબંધીત લખાણ "સંદર્ભ" મથાળા હેઠળ દેખાશે.
દા.ત. <ref>{{Cite web|url=http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=2|archive-url=https://web.archive.org/web/20160520014315/http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=2|archive-date=૧૭ મે ૨૦૧૮|title=Padma Shree Award Winner Diwaliben Bhil Is No More|date=૨૦ મે ૨૦૧૬}}</ref>
જો આપેલ સંદર્ભનું URL ઓનલાઇન ન હોય કે મૃત હોય તો, url-status=dead ઉમેરવું.
વધુ મદદ માટે વિકિપીડિયા:ચોતરો પર સંપર્ક કરવો.