The Prince Charles | |||||
---|---|---|---|---|---|
Prince of Wales; Duke of Rothesay (more) | |||||
The Prince of Wales during a visit of the White House in 2005 | |||||
જીવનસાથીઓ | ડિયાના, કેમિલા પારકર (m. 1981, div. 1996) Camilla (m. 2005) | ||||
વંશજ | Prince ફિલીપ Prince હેરી | ||||
| |||||
રાજવંશ | Paternal: House of Schleswig-Holstein-Sonderburg-Glücksburg Maternal: House of Windsor | ||||
માતા | Elizabeth II of the United Kingdom | ||||
ધર્મ | Christian (Church of England) | ||||
સહી | The Prince Charlesની સહી |
ચાર્લ્સ તૃતીય, (ચાર્લ્સ ફિલીપ આર્થર જ્યોર્જ;[N ૧] જન્મ 14 નવેમ્બર 1948) એ મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને મહારાજ ફિલીપ, એડિનબર્ગના ઉમરાવના સૌથી જયેષ્ઠ પુત્ર છે.) તેઓ યુનાઈટેડ કિંગડમ અને ૧૪ રાષ્ટ્રમંડળ દેશોના મહારાજા છે. કેમ્બ્રિજ-સ્થિત ટ્રિનિટી કૉલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા બાદ, ચાર્લ્સે 1971-76માં રોયલ નેવીમાં ફરજ બજાવી હતી. 1981માં તેઓએ વિશ્વભરમાં રહેલા ટેલિવિઝન પ્રેક્ષકોની નજરો સમક્ષ લૅડી ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યા હતા.
તેમને બે સંતાન થયા હતા, 1982માં વેલ્સના રાજકુમાર વિલિયમ અને 1984માં વેલ્સના રાજકુમાર હેરી. તેમના સંબંધો અંગેના ચોપાનિયાઓના આક્ષેપો બાદ 1992માં આ દંપતી અલગ થઇ ગયું હતું.
કેમિલા પાર્કર બાઉલ્સ સાથે સંબંધો ધરાવે છે તેવા ડાયનાએ કરેલા જાહેર આક્ષેપો બાદ 1996માં તેમના છૂટાછેડાં થઈ ગયા હતા. 1997ની 31મી ઓગસ્ટે પેરિસ ખાતે ડાયના એક કાર અકસ્માતમાં મૃત્યુ પામી હતી. લાંબો સમય ચાલેલા સહવાસ બાદ, 2005માં પ્રિન્સે કેમિલા સાથે લગ્ન કર્યા, જે ડચેસ ઓફ કોર્નવોલ (કોર્નવોલના ઉમરાવ)નું બિરૂદ ભોગવે છે.
પ્રિન્સ પોતાના સખાવતી કાર્યો બદલ જાણીતા છે તથા તેઓ ધ પ્રિન્સ’સ ટ્રસ્ટ, ધ પ્રિન્સ’સ રિજનરેશન ટ્રસ્ટ અને ધ પ્રિન્સ’સ ફાઉન્ડેશન ફોર ધ બિલ્ટ એન્વાયરમેન્ટના પ્રયોજક છે. તેઓ જૂની ઈમારતોની સ્થાપત્યકલા અને જાળવણી અંગે સ્પષ્ટપણે વિચારો વ્યક્ત કરતા આવ્યા છે અને તેમણે અ વિઝન ઓફ બ્રિટેન (1989) શીર્ષક ધરાવતું એક પુસ્તક બહાર પાડ્યું હતું. તેમણે ઔષધીય વનસ્પતિ અને અન્ય વૈકલ્પિક તબીબી સારવાર અંગે ચર્ચાસ્પદ વિચારો વ્યક્ત કરેલા છે. 1958થી, તેમનું મુખ્ય બિરૂદ એચઆરએચ (HRH) વેલ્સના રાજકુમાર (ધ પ્રિન્સ ઓફ વેલ્સ) છે. સ્કોટલૅન્ડમાં તેઓ ધ ડ્યુક ઓફ રોથસે (રોથસેના ઉમરાવ) તરીકે ઓળખાય છે. [૨]
ચાર્લ્સનો જન્મ 14 નવેમ્બર, 1948ના રોજ બકિંગહામ પૅલેસ ખાતે થયો હતો, તેઓ રાજકુમારી એલિઝાબેથ, એડિનબર્ગની ઉમરાવ અને ફિલીપ, એડિનબર્ગના ઉમરાવના સૌપ્રથમ સંતાન છે, તથા તેઓ રાજા પંચમ જ્યોર્જ અને મહારાણી એલિઝાબેથના સૌપ્રથમ પૌત્ર છે. તેમની ધર્મદિક્ષા વિધિ મહેલના સંગીતકક્ષમાં 15મી ડિસેમ્બર, 1948ના રોજ કરવામાં આવી હતી, જેમાં જોર્ડન નદીના જળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની ધર્મદિક્ષા વિધિમાં કેન્ટરબરીના આર્કબિશપ જ્યોફ્રે ફિશર હતા. રાજકુમારના ગોડપેરેન્ટ્સ તેમના માતૃપક્ષના દાદા, તેમના માતૃપક્ષના વડદાદી, મહારાણી મેરી, તેમની મામી રાજકુમારી માર્ગારેટ, તેમના પિતૃપક્ષના વડદાદી ડોવાગર માર્ચિયોનેસ ઓફ મિલફોર્ડ હેવન, તેમના માતૃપક્ષના મોટા-કાકા ડેવિડ બોવ્સ-લિયોન, તેમના પિતાના પિતરાઇ લેડી બ્રેબોર્ન; તેમના દાદાના પિતરાઇ નોર્વેનો રાજા હેકન છઠ્ઠો (જેમનાથી એલેક્ઝેન્ડર કેમ્બ્રિજ, એથલોનના ઉમરાવની અવેજીમાં છે) અને તેમના પિતૃપક્ષના વડકાકા ગ્રીસના રાજકુમાર જ્યોર્જ ઉપસ્થિત હતા. ચાર્લ્સના વડદાદા રાજા જ્યોર્જ પાંચમાના વારસાના નિયમો અનુસાર બ્રિટિશ રાજકુમાર અથવા રાજકુમારીનું બિરૂદ અને રોયલ હાઇનેસ ની શૈલી માત્ર વેલ્સના રાજકુમારના સૌથી મોટા પુત્ર તેમજ સાર્વભૌમ રાજાના પુરૂષ જાતિના બાળકો અને પૌત્રોને જ આપવાના હોય છે. જોકે, 22 ઓક્ટોબર 1948ના રોજ જ્યોર્જ પાંચમાએ વારસાના નવા નિયમો જારી કરીને આ બહુમાન પ્રિન્સેસ એલિઝાબેથ અને રાજકુમાર ફિલીપના કોઇપણ સંતાનને આપવાનું ઠરાવ્યું; અન્યથા, ચાર્લ્સને માત્ર તેના પિતાનું બિરુદ જ મળ્યું હોત અને તેને મેરિયોનેથના ઉમરાવનું સૌજન્ય બિરુદ મળ્યું હોત. આ રીતે, સ્ત્રી વારસદારના બાળકોને શાહી અને રાજકુમાર-રાજકુમારીનું બિરુદ મળ્યું.
ચાર્લ્સ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય તરીકે બિરાજ્યાં, જેની સાથોસાથ ચાર્લ્સ તેમની માતા તે સમયે જે સાત દેશો પર હકુમત ધરાવતી હતી તેના મુખ્ય વારસદાર બની ગયા. આ ઘટનાક્રમને કારણે હવે તેમનો દરજ્જો આપોઆપ વધીને કોર્નવોલના ઉમરાવ (મહારાજા એડવર્ડ ત્રીજાના મુખપત્રમાં આ બિરુદ રાજાના સૌથી મોટા પુત્રને આપવામાં આવતું હતું)નો થઈ ગયો હતો, અને સ્કોટિશ દરજ્જામાં તેઓ રોથસેના ઉમરાવ, કૅરિકના ઉમરાવ, બૅરોન ઓફ રેનફ્ર્યૂ, લોર્ડ ઓફ ધ ઇઝ્લેસ, અને પ્રિન્સ તથા ગ્રેટ સ્ટ્યૂઅર્ડ ઓફ સ્કોટલેન્ડનો સમાવેશ થતો હતો. યુનાઇટેડ કિંગડમમાં અગ્રતાક્રમ પ્રમાણે તાજ પરની દાવેદારીમાં તેમનો ક્રમ પ્રથમ હતો, તેમ છતાં તેમના માતાપિતાને ધ્યાનમાં લેતા તેમનો ક્રમ ત્રીજો હતો, અને તેમની માતા અને પિતા કે જેઓ શાહી પરિવારના ઉપ-પ્રતિનિધિ હતા, તેમના બાદ અન્ય લોકોના અગ્રપદના હક્કની દૃષ્ટિએ તેમનો ક્રમ ચોથો અથવા પાંચમો હતો. 1953માં વૅસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાયેલા પોતાની માતાના રાજ્યારોહણ સમારોહમાં ચાર્લ્સ ઉપસ્થિત રહ્યાં હતા, જ્યાં તેઓ પોતાની દાદી અને કાકીની જોડે બેઠા હતા. શાહી પરિવારના બાળક માટેના રિવાજ પ્રમાણે, ચાર્લ્સ માટે એક શિક્ષિકા, કેથેરીન પીબ્લેસની નિમણૂક કરવામાં આવી અને તેણે પાંચ વર્ષથી આઠ વર્ષની વય દરમિયાન ચાર્લ્સને શિક્ષણ આપ્યું. 1955માં બકિંગહામ પૅલેસે એવી જાહેરાત કરી કે ચાર્લ્સ ખાનગી શિક્ષકને બદલે શાળામાં ભણવા જશે, આમ આ રીતે શિક્ષણ મેળવનારા ચાર્લ્સ સૌપ્રથમ શાહી વારસદાર બન્યા હતા.[૩]
ચાર્લ્સ પ્રારંભમાં પશ્ચિમ લંડનમાં આવેલી હિલ હાઉસ સ્કૂલમાં ભણ્યાં, જ્યાં તેમણે શાળાના સ્થાપક અને તે સમયના વડા સ્ટુઅર્ટ ટાઉનેન્ડ પાસેથી બિન-પસંદગીની ટ્રીટમેન્ટ મેળવી, તેઓએ રાણીને ચાર્લ્સને ફૂટબોલમાં તાલીમ આપવાની સલાહ આપી હતી, કારણ કે હિલ હાઉસના છોકરાઓ ફૂટબોલના મેદાનમાં ક્યારેય કોઇની શેહ-આદર રાખતા નહોતા.[૪] રાજકુમાર ત્યારપછી પોતાના પિતાની ભૂતપૂર્વ શાળા, ઇંગ્લેન્ડના બર્કશાયર સ્થિત શીમ પ્રિપેરેટરી સ્કૂલમાં ભણ્યાં અને આખરે સ્કોટલેન્ડની ઉત્તર-પૂર્વમાં આવેલી ગોર્ડનસ્ટોઉનમાં ગયાં. એવી નોંધ મળે છે કે રાજકુમારે તેમની પછીની શાળા “કોલ્ડિટ્ઝ ઇન કિલ્ટ્સ” ખાતે પોતાનો સમય ઉપેક્ષિત હાલતમાં વિતાવ્યો હતો, કેમ કે ચાર્લ્સે નોંધ્યા પ્રમાણે – તેઓએ ઓસ્ટ્રેલિયાની ગીલોન્ગમાં આવેલી ગીલોન્ગ ગ્રામર સ્કૂલના ટિમ્બરટોપ કૅમ્પસમાં પોતાની બે ટર્મ ગાળી હતી જે દરમિયાન તેઓ પોતાના શિક્ષક માઇકલ કોલિન્સ પર્સી સાથે પપુઆ ન્યુ ગિયેનાની ઇતિહાસ સફરે ગયા હતા. ગોર્ડનસ્ટોઉનથી પરત ફરતાં ચાર્લ્સે હૅડ બોય બનીને પોતાના પિતાનું અનુસરણ કર્યું હતું, અને 1967માં ઇતિહાસ તથા ફ્રેન્ચ વિષયમાં બે એ લૅવલ્સ સાથે શાળા છોડી હતી.
સૈન્ય દળોમાં જોડાવાનો વિરોધ કરીને, ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી યુનિવર્સિટીમાં સીધો પ્રવેશ મેળવીને ચાર્લ્સે ફરી એકવાર પરંપરા તોડી. વિન્ડસરના ડીન રોબિન વૂડ્સની ભલામણના આધારે અને પોતાના એ લેવલ્સમાં માત્ર બી અને સી ગ્રેડ્સ જ ધરાવતા હોવા છતાં,[૫] રાજકુમારને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં દાખલ થયા, જ્યાં તેઓ કેનેડામાં જન્મેલા અધ્યાપક જોન કોલેસ હેઠળ માનવશાસ્ત્ર, પુરાતત્વવિદ્યા અને ઇતિહાસ વિષયો ભણ્યાં. 23મી જૂન, 1970ના રોજ તેઓએ 2:2 બૅચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી અને એ રીતે શાહી પરિવારમાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવનાર ત્રીજા સદસ્ય બન્યાં.[૬] ત્યારપછી 2 ઓગસ્ટ, 1975ના રોજ, તેઓને યુનિવર્સિટીની પરંપરા મુજબ કેમ્બ્રિજના માસ્ટર ઓફ આર્ટસ ડિગ્રીથી નવાજવામાં આવ્યા.[૬] પોતાના ત્રીજા તબક્કાના શિક્ષણ દરમિયાન, ચાર્લ્સે ઓલ્ડ કૉલેજમાં (યુનિવર્સિટી ઓફ વૅલ્સ, એબરીસ્ટ્વિથના ભાગરૂપ) પણ અભ્યાસ કર્યો હતો, જ્યાં તેઓએ વૅલ્શ ભાષા અને વૅલ્શ ઇતિહાસનો અભ્યાસ કર્યો. વૅલ્સની બહાર જન્મનાર તેઓ એવા સૌપ્રથમ પ્રિન્સ ઓફ વૅલ્સ છે કે જેમણે આ પ્રદેશની ભાષાને શીખવાનો પ્રયાસ કર્યો હોય.
26મી જુલાઈ, 1958ના રોજ ચાર્લ્સને પ્રિન્સ ઓફ વૅલ્સ અને અર્લ ઓફ ચૅસ્ટર બનાવવામાં આવ્યા,[૭][૮] અલબત્ત 1 જુલાઈ, 1969 સુધી તેમનો વિધિપૂર્વકનો પદવીદાન સમારંભ યોજાયો નહોતો. કેર્નાર્ફન કૅસલ ખાતે યોજાયેલા અને ટેલિવિઝન પર દર્શાવવામાં આવેલા એક સમારોહમાં તેમના માતા દ્વારા ચાર્લ્સને તાજ પહેરાવવામાં આવ્યો હતો અને ચાર્લ્સે વૅલ્શ અને ઇંગ્લિશ- બન્ને ભાષામાં પોતાની પ્રતિક્રિયા અને સંબોધન કર્યા હતા.[૯] ત્યારપછીના વર્ષે તેમણે હાઉસ ઓફ લોર્ડ્સમાં પોતાનું સ્થાન મેળવ્યું,[૫] અને તે દશકના ઉત્તરાર્ધમાં તેઓ મહારાજા જ્યોર્જ પહેલા પછી રાજ પરિવારના સૌપ્રથમ એવા વ્યક્તિ બન્યાં કે બ્રિટિશ કેબિનેટની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં તેમને વડાપ્રધાન જેમ્સ કેલાઘન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી યુવરાજ બ્રિટિશ સરકાર અને કેબિનેટની કામગીરીનો અનુભવ મેળવી શકે. ચાર્લ્સે વધુને વધુ જાહેર ફરજો નિભાવવી પણ શરૂ કરી, અને 1976માં પોતાના ધ પ્રિન્સ’સ ટ્રસ્ટની સ્થાપના કરી,[૧૦] તેમજ 1981માં યુનાઇટેડ સ્ટેટ્સની યાત્રા કરી.
આ સમયગાળામાં, રાજકુમારે ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ તરીકે કામ કરવામાં રસ વ્યક્ત કર્યો હતો; કમાન્ડર માઇકલ પાર્કરે જણાવ્યું હતું કે: “આ નિમણૂંક પાછળનો વિચાર તેમને રાજાશાહીનો અથવા તો ભાવિ રાજા બનવાના પાઠ શીખવવાનો અને વેપાર શીખવવાનો હતો.” જો કે, ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રવાદી ભાવનાઓ અને 1975માં ગવર્નર-જનરલ દ્વારા સરકારની બરખાસ્તી જેવા કારણોના પરિણામે, આ દિશામાં કંઈ આગળ વધી શક્યું નહી. ચાર્લ્સે વત્તાઓછાં અંશે થોડા રંજ સાથે ઓસ્ટ્રેલિયાના મંત્રીઓનો નિર્ણય સ્વીકાર્યો, તેમણે એવું જણાવ્યું હતું કે: “જ્યારે કોઇ મદદ કરવા માટે કંઈક કરવા વિચારો છો ત્યારે તમારી ભાવના મદદ કરવાની હોય છે અને તમે કહી દો છો કે આપની જરૂરત નથી?” [૧૧] તેથી ઊલટું, ટોમ ગાલેઘરે લખ્યું તું કે ચાર્લ્સને રોમાનિયાનાં રાજાશાહીવાદીઓ દ્વારા તે દેશના તાજની પેશકશ કરવામાં આવી હતી, આ પ્રસ્તાવને ઠુકરાવી દેવામાં આવી હોવાની નોંધ મળે છે.[૧૨][૧૩]
ચાર્લ્સ એ હાલમાં પ્રિન્સ ઓફ વૅલ્સનું બિરુદ ધરાવનારા સૌથી વયસ્ક વ્યક્તિ છે. આ બિરુદ શાહી વારસદારને આપવામાં આવે છે. રાષ્ટ્રસમૂહના મૂલકોના ઇતિહાસને નજર સમક્ષ રાખીએ તો ચાર્લ્સ એ એડવર્ડ સાતમાં પછીના સૌથી લાંબો સમય સેવા આપનારા બીજા ક્રમના સૌથી વયસ્ક શાહી વારસદાર પણ છે. બ્રિટનના ઇતિહાસમાં સૌથી લાંબો સમય પ્રિન્સ ઓફ વૅલ્સ તરીકેની ભૂમિકા ભજવવામાં ચાર્લ્સનો ક્રમ એડવર્ડ સાતમાં અને જ્યોર્જ પાંચમા પછી ત્રીજો છે, અને જો તેઓ પ્રિન્સ ઓફ વૅલ્સના પદે યથાવત રહ્યાં તો 9 સપ્ટેમ્બર, 2013ના રોજ તેઓ આગળના બન્નેને ટપી જશે. જો તેઓ 18 સપ્ટેમ્બર, 2013 બાદ તાજ પર બિરાજશે, તો ચાર્લ્સ યુનાઇટેડ કિંગડમમાં રાજા બનનારા સૌથી વયસ્ક વ્યક્તિ હશે. ચાર્લ્સની અત્યારે જે ઉંમર છે તે કરતા વધુ વયે એકમાત્ર વિલિયમ ચોથો રાજા બન્યો હતો.
પ્રિન્સ ઓફ વૅલ્સ તરીકેની પરંપરાના ભાગરૂપે, ચાર્લ્સે નૌકાદળ અને વાયુસેનામાં સમય વિતાવ્યો હતો. કેમ્બ્રિજ ખાતેના પોતાના બીજા વર્ષ દરમિયાન ચાર્લ્સની વિનંતી પર તેમણે રોયલ એર ફોર્સની તાલીમ મેળવી હતી, જેના બાદ 8 માર્ચ 1971ના રોજ યુવરાજે જેટ પાયલટની તાલીમના ભાગરૂપે ક્રેનવેલ સ્થિત રોયલ એર ફોર્સ કૉલેજથી ઉડાન ભરી હતી. તે વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પાસિંગ આઉટ પરેડ બાદ, તેમણે નૌકાદળની કારકિર્દી હાથ ધરી હતી, અને ડ્વાર્ટમાઉથ ખાતેની રોયલ નૅવલ કૉલેજ ખાતે છ સપ્તાહના અભ્યાસક્રમમાં જોડાયા હતા અને ત્યારબાદ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરઢાંચો:HMS (1971-72) તથા ફ્રિગેટ્સ ઢાંચો:HMS (1972-1973) અને ઢાંચો:HMS (1974) પર ફરજ બજાવી હતી. 9 ફેબ્રુઆરી, 1976ના રોજ 845 નૅવલ એર સ્ક્વૉડ્રનમાં જોડાતા પૂર્વે, ચાર્લ્સે 1974માં આરએનએએસ (RNAS) યેવોવિલ્ટન ખાતે હેલિકોપ્ટર પાયલટ તરીકેના ગુણો પણ શીખ્યાં હતા.ઢાંચો:HMS નૌકાદળમાં પોતાના આખરી નવ માસના ગાળામાં યુવરાજે કોસ્ટર માઇનહન્ટરની કમાનઢાંચો:HMS પણ સંભાળી હતી. કુલ મળીને, પ્રિન્સ ચાર્લ્સ ચિપમન્ક બેઝિક પાયલટ ટ્રેનર, હેરિઅર ટી એમકે 4 વી/એસટીઓએલ (V/STOL) ફાઇટર, બીએસી (BAC) જેટ પ્રોવોસ્ટ જેટ પાયલટ ટ્રેનર, નિમરોડ મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, એફ-4 ફૅન્ટમ ટુ ફાઇટર જેટ, એવરો વલ્કન જેટ બોમ્બર અને સ્પિટફાયર ક્લાસિક ડબલ્યુડબલ્યુટુ (WWII) ફાઇટર ઉડાડતા શીખેલા છે.
પ્રિન્સ ચાર્લ્સનું પ્રણય જીવન હંમેશાથી જ અટકળો અને અખબારોનો વિષય રહ્યું છે. પોતાની યુવાનીમાં તેઓ સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે સંકળાયેલા હતા, જેમાં સ્પેન ખાતે બ્રિટનના રાજદૂતની પુત્રી જ્યોર્જિયાના રસ્સેલ, લૅડી જૅન વેલેસ્લી, ડેવિના શેફિલ્ડ, એક મોડેલ ફિયોના વૉટ્સન, સુસાન જ્યોર્જ, લેડી સારાહ સ્પેન્સર, લક્ઝમબર્ગની રાજકુમારી મેરી એસ્ટ્રિડ, ટ્રાયોનની બેરોનેસ ડૅલ, જેનેટ જેનકિન્સ અને જૅન વૉર્ડનો સમાવેશ થાય છે. રાષ્ટ્રસમૂહના પ્રદેશોના તાજનો વારસદાર હોવાને લીધે જ નહીં, પરંતુ ચાર્લ્સના લગ્ન તેની ભાવિ રાજાશાહીની શક્યતા વધારે એવી સંભાવના હતી. પરિણામે તેમની પાત્રની પસંદગી પ્રત્યે વ્યાપકપણે આકર્ષણ ઊભું થવાનું હતું જ. ચાર્લ્સના લગ્નમાં ખાસ કરીને નવવધુની પ્રતિષ્ઠા સૌથી મોટું મહત્વનું પરિબળ બની રહેવાની હતી, તેમાંય વળી 1772ના રોયલ મેરેજિઝ એક્ટ હેઠળ પોતાની માતાની અનુમતિ પણ લેવાની રહેતી હતી. આ કાનૂન હેઠળ કોઇ રોમન કેથોલિક સાથેના લગ્ન કરવાથી તેઓ અને લગ્નથી થયેલા સંતાનો વારસામાંથી આપોઆપ બહાર થઈ જાય તેમ હતા.[૧૪]
પોતાના પિતાનાં "અંકલ ડિકી", લ્યુઇસ માઉન્ટબૅટન, ફર્સ્ટ અર્લ માઉન્ટબેટન ઓફ બર્માએ ભાવિ પત્નીની પસંદગી અને મુલાકાત વિશે ચાર્લ્સને લેખિત સલાહ આપી હતીઃ "તમારા જેવા કોઇ કિસ્સામાં, માણસે ઠરીઠામ થતા પહેલા તેના જંગલી ઓટ્સ વાવવા જોઇએ અને શક્ય તેટલા અફેર્સ કરવા જોઇએ પરંતુ પત્ની માટે તેણે છોકરી બીજા કોઇને મળે અને તેના પ્રેમમાં પડે તે પહેલા, યોગ્ય, આકર્ષક અને મીઠા ચારિત્ર્યવાળી છોકરી પસંદ કરી લેવી જોઇએ... જો તેઓને લગ્ન બાદ ઉચ્ચ સન્માનના દરજ્જા પર રહેવાનું હોય તો મહિલા માટે અનુભવ વિચલિત કરનારા છે."[૧૫] માઉન્ટબેટન ગાદીના વારસદારને સલાહ આપવાની વિશેષણ ગુણત્તા ધરાવતા હતા. તેમણે પંચમ જ્યોર્જ, રાણી એલિઝાબેથ અને તેમની પુત્રીઓને 22 જુલાઈ,1939ના રોજ ડાર્ટમાઉથ રોયલ નેવલ કૉલેજ ખાતે મુલાકાત લેવા આમંત્રિત કર્યા હતા અને કૅડેટ પ્રિન્સ ફિલીપ ઓફ ગ્રીસને યુવાન રાજકુમારીની સંગતમાં રહેવા માટેની સમજ આપી હતી, તેમજ તેમણે ચાર્લ્સના ભાવિ સાસુ-સસરાં સાથેની સૌપ્રથમ સવિસ્તર મુલાકાત પણ ગોઠવી હતી.[૧૬] 1974ના પ્રારંભમાં, માઉન્ટબેટને પોતાની પૌત્રી હોન. એમાન્ડા નોચબુલ (જન્મ 26 જૂન 1957) સાથેના સંભવિત લગ્ન વિશે એલિઝાબેથ અને ફિલીપના સૌથી મોટા પુત્ર સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો, [૧૭]અને એવી ભલામણ કરી હતી કે આ પચીસ વર્ષીય રાજકુમારી ચાર્લ્સના યુવાનીના અનુભવો સામે સાંગોપાંગ ખરી ઉતરે છે. ચાર્લ્સે કર્તવ્યનિષ્ઠતા સાથે એમાન્ડાની માતા લેડી બ્રેબોર્ન (જે તેની દાદી પણ હતી)ને તેમની પુત્રીમાં પોતાને રસ હોવા વિશે લખ્યું હતું, જેને લેડી બ્રેબોર્ને માન્ય રાખ્યો હતો, અલબત્ત તેમણે એવું સૂચન કર્યું હતું કે આ સંબંધ ઉતાવળિયો છે.[૧૮]
આ ઘટનાક્રમને લીધે માઉન્ટબેટન ડગ્યાં નહીં. ચાર વર્ષ બાદ તેમને અને એમાન્ડાને ચાર્લ્સે પોતાની 1980ની ભારતયાત્રામાં પોતાની સાથે રહેવા માટે આમંત્રિત કર્યા હતા. બન્ને પિતાએ, જો કે, તેની સામે વાંધો લીધો. ફિલીપે એવી ફરિયાદ કરી કે વેલ્સના રાજકુમાર પોતાના સુપ્રસિદ્ધ કાકા (જેમણે ભારતના આખરી બ્રિટિશ વાઇસરોય અને ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે ફરજ બજાવી હતી)ના પ્રભાવ હેઠળ છે, જ્યારે લોર્ડ બ્રેબોર્ને એવી ચેતવણી આપી કે તેઓ દંપતી બનવાનો નિર્ણય કરી શકે તે પૂર્વે ભારતની સંયુક્તપણે મુલાકાત લેવામાં આવશે તો માધ્યમોનું ધ્યાન તેમના પ્રત્યે ખેંચાઇ શકે છે, જેનાથી તેમના ભવ્ય ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઇ શકે છે.[૧૯] જો કે, ચાર્લ્સ એકલો ભારત તરફ પ્રસ્થાન કરે તે પૂર્વે જ, 1979ના ઓગસ્ટ મહિનામાં માઉન્ટબેટનની હત્યા થઇ ગઇ. ચાર્લ્સ જ્યારે પરત ફર્યા, ત્યારે તેમણે એમાન્ડાની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે, એમાન્ડાએ આ હુમલામાં પોતાના દાદા ઉપરાંત પોતાની પૈતૃક દાદી, અને નાનાભાઈ નિકોલસને પણ ગુમાવી દીધા હતા અને હવે તે શાહી પરિવારના મુખ્ય સદસ્ય બનવાના પરિણામથી નફરત કરતી હતી.[૧૯] 1980ના જૂન મહિનામાં, ચાર્લ્સે 1974થી પોતાનું ઘર રહેલા શેવિનીંગ હાઉસનો પોતાના ભાવિ રહેઠાણ તરીકે સત્તાવાર રીતે અસ્વીકાર કર્યો. કેન્ટમાં આવેલું રજવાડી ઘર એવું શેવિનીંગને એમાન્ડાના સંતાનવિહીન મોટા-કાકા છેલ્લા સ્ટેનહોપ ઉમરાવ દ્વારા શાહી પરિવારને અન્ય દેણગી સાથે વારસામાં આપવામાં આવ્યું હતું, તેમને એવી આશા હતી કે આખરે આ ઘર ચાર્લ્સને જ મળવાનું છે.[૨૦]
ચાર્લ્સ લેડી ડાયના ફ્રાન્સિસ સ્પેન્સરને 1977માં ડાયનાના આલ્થોર્પ ખાતેના ઘરની મુલાકાત દરમિયાન મળ્યાં હતા જ્યાં તેમની સાથે ડાયનાની મોટી બહેન સારાહ હતી, તેમ છતાં 1980ની ગ્રીષ્મ ઋતુ સુધી ચાર્લ્સે પ્રણયાત્મક દૃષ્ટિએ ડાયનાનો વિચાર કર્યો નહોતો. જુલાઈ મહિનામાં પોતાના એક મિત્રના ઘરે કાપણી કરીને ગોઠવેલા સુકા ઘાસની ગંજી પર તેઓ અને ડાયના એકસાથે બેઠાં હતા ત્યારે ચાર્લ્સે માઉન્ટબેટનના મૃત્યુનો ઉલ્લેખ કર્યો, જેનો ડાયનાને જવાબ આપ્યો કે તેના કાકાની અંતિમયાત્રા દરમિયાન ચાર્લ્સે ત્યક્તભાવ સેવવામાં આવ્યો હતો અને તેમનું ધ્યાન રાખવાની જરૂરત હતી. ચાર્લ્સના પસંદગીના જીવનચરિત્ર લેખક જોનાથન ડિમ્બલેબી જણાવ્યા પ્રમાણે, “ટૂંક સમયમાં લાગણીમાં કોઇ દેખીતો ઉભરો આવ્યા વિના, તેમણે ડાયનાને પોતાની ભાવિ પત્ની તરીકે જોવાનું ગંભીરતાપૂર્વક શરૂ કરી દીધું હતું.”[૨૧] બાલ્મોરલ અને સેન્ડ્રિન્ઘમની મુલાકાત દરમિયાન ડાયના પ્રિન્સની સાથે રહ્યાં હતા, જેને મોટાભાગના શાહી પરિવાર તરફથી ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્યો હતો.
રાણીએ ચાર્લ્સને કોઇ સીધી સલાહ આપી નહોતી, અલબત્ત તેમના પિતરાઇ નોર્ટન નોચબુલ (એમાન્ડાના મોટાભાઈ) અને તેમની પત્ની પેનીએ આપી હતી. પરંતુ તેમણે એવો વાંધો લીધો કે ચાર્લ્સ ડાયનાના પ્રેમમાં હોય એવું જણાતું નથી અને તેણી ચાર્લ્સના હોદ્દાથી ખુબ મોહિત થઇ ગઇ હોય એવું જણાય છે, ચાર્લ્સ આ વાંધાઓથી ક્રોધે ભરાયા હતા.[૨૨] દરમિયાન, આ દંપતીએ અવિરત અખબારી અટકળો અને પાછળ પડેલા પત્રકારોના કવરેજની વચ્ચે મુલાકાતો કરવાનું ચાલુ રાખ્યું હતું. પ્રિન્સ ફિલીપે ચાર્લ્સને જણાવ્યું કે જો તેઓ ટૂંક સમયમાં ડાયના અંગે કોઇ નિર્ણય લેશે નહીં તો અખબારોના બિનજરૂરી ધ્યાનને કારણે તેણીની પ્રતિષ્ઠાને હાનિ થઇ શકે છે. આ સલાહ ઉપરાંત ડાયના શાહી પરિવારની યોગ્ય વધુ માટેના માઉન્ટબેટનના ધારાધોરણો (અને દેખીતી રીતે જનતાના પણ) સાથે સુસંગત છે એવું લાગ્યા પછી ચાર્લ્સે સમય ગુમાવ્યા વિના આગળ ધપવા માટે ચેતવણી સ્વરૂપે પોતાના પિતાની સલાહ લીધી.[૨૩]
પ્રિન્સ ચાર્લ્સે 1981માં ડાયના સમક્ષ પ્રસ્તાવ મૂક્યો, જેનો તેણીએ સ્વીકાર કર્યો, અને જ્યારે તેમણે તેના પિતા પાસે ડાયનાના હાથની માગણી કરી ત્યારે તેમણે સંમતિ આપી. આ સહઅસ્તિત્વને બ્રિટિશ અને કેનેડાની પ્રિવી કાઉન્સિલે (આવું એટલા માટે કરવામાં આવ્યું કેમ કે તેમના લગ્ન થકી પેદા થનારું સંતાન આ દેશોના તાજનો વારસદાર બને એવી સંભાવના હતી) મંજૂરી આપ્યા બાદ, ક્વીન-ઇન-કાઉન્સિલે કાયદાકીય જરૂરી મંજૂરી આપી, અને 29મી જુલાઈના રોજ સેંટ પૌલ’સ કેથેડ્રલ ખાતે ચાર્લ્સ અને ડાયના 3,500 આમંત્રિત મહેમાનો અને વિશ્વભરમાં ટેલિવિઝન પર જોઇ રહેલા 750 મિલિયન દર્શકોની નજરો સામે લગ્નગ્રંથિથી જોડાયા. રાણીના તમામ ગવર્નર-જનરલો, તેમજ યુરોપના ક્રાઉન્ડ હૅડ્સ (આમાં સ્પેનના રાજા જુઆન કાર્લોસ પહેલા બાકી હતા, જેમને આ લગ્નમાં ઉપસ્થિત નહીં રહેવા સલાહ આપવામાં આવી હતી કારણ કે નવદંપતિની મધુરજની યાત્રામાં જિબ્રાલ્ટરના વિવાદિત ક્ષેત્રમાં કરાનારા રોકાણનો સમાવેશ થતો હતો) ઉપસ્થિત રહ્યાં હતા. યુરોપના મોટાભાગના રાજ્યોના ચૂંટાયેલા વડાઓ મહેમાનોમાં સામેલ હતા, જેમાં ગ્રીસના પ્રમુખ કોન્સ્ટેન્ટાઇન કારમન્લિસ (તેમણે એટલા માટે ઇનકાર કર્યો હતો કે ગ્રીસના દેશવટો પામેલા રાજા કોન્સ્ટેન્ટાઇન બીજા, તેમનો એક નજીકના સગા અને બ્રિજરૂમના મિત્રને આ લગ્નમાં “કિંગ ઓફ ધ હૅલેનેસ” તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા), અને આયર્લેન્ડના પ્રમુખ પેટ્રિક હિલેરી (જેમને તાઓસિયેચ ચાર્લ્સ હૌગે ઉત્તરીય આયર્લેન્ડના દરજ્જા અંગેના વિવાદને લીધે આ લગ્નમાં હાજરી નહીં આપવાની સલાહ આપી હતી). સલાહ આપવામાં આવી હતી ત્યારે સમય સરકારના પરિવર્તનનો પણ સમય હતો. પરંપરાગત રીતે આઇરિશ પ્રમુખ અને બ્રિટીશ રાજવી પરિવાર ઉત્તરી આયર્લેન્ડના મુદ્દે જાહેરમાં મળતા નથી.
આ દંપતિએ ટેટબરી નજીકના હાઇગ્રોવ હાઉસ અને કેન્સિન્ગ્ટન પૅલેસ ખાતે રહેઠાણ બનાવ્યું હતું. લગભગ તરત જ, નવપરિણિત પ્રિન્સેસ ઓફ વૅલ્સ આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી, વણનોંતર્યા પત્રકારો તેમનો પીછો કરતા રહેતા, અને સમૂહ માધ્યમોને કારણે તેમના પ્રત્યેક પગલાને લાખો લોકો અનુસરતા. આ દંપતિને બે બાળકો હતાઃ રાજકુમાર વિલિયમ (જન્મ 21 જૂન 1982) અને હેનરી (“હૅરી” તરીકે ઓળખાય છે) (જન્મ 15 સપ્ટેમ્બર 1984). પોતાના બાળકોનાં જન્મ સમયે હાજર રહેનાર સૌપ્રથમ શાહી પિતા બનીને ચાર્લ્સે દાખલો સ્થાપ્યો હતો.[૩]
પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વૅલ્સ વચ્ચેનોસંબંધ ટૂંક સમયમાં જ મુસીબતમાં મૂકાયો, પાંચ વર્ષની અંદર જ, આ “પરીકથા” સમાન લગ્ન ભંગાણના આરે આવીને ઉભા રહ્યાં. આ શાહી દંપતિ જ્યાં શામેલ હોય તે પ્રસંગો અને ઘટનાઓમાં સતત કેમિલા પાર્કર-બાઉલ્સની હાજરી ડાયના માટે અસહ્ય બની ગઇ. જાહેરમાં તથા ખાનગીમાં ડાયનાની વિરુદ્ધ [સંદર્ભ આપો] બોલનારા ચાર્લ્સના સાથીદારોએ [કોણ?] એવો આક્ષેપ કર્યો હતો કે તેણી અસ્થિર અને સ્વભાવગત હતી; એક પછી એક, દેખીરી રીતે તેણે ઢાંચો:Weasel-inline લાંબા સમયથી રહેલા ચાર્લ્સના સ્ટાફના સદસ્યોને બરખાસ્ત કરાવી દીધાં અને ચાર્લ્સના મિત્રો સાથેના તેમજ તેના પોતાના કુટુંબીજનો- પોતાના પિતા, માતા અને ભાઈ, અને શાહી પરિવારના સદસ્યો, જેવા કે યોર્કની ઉમરાવ સ્ત્રી સારાહ સાથેના સંબંધો ઘટાડી દીધાં.[સંદર્ભ આપો] મહેલને રંજ થાય તે રીતે, પ્રિન્સેસે શાહી પરામર્શન માટેના સામાન્યપણે માન્ય સ્રોતો સિવાયના લોકો પાસેથી સલાહ લીધી હતી.[સંદર્ભ આપો] પ્રિન્સે માગેલી મદદના પ્રતિસાદરૂપે, ડાયનાએ ઉદારતાથી જવાબ આપ્યો હતો. જો કે, લગ્નજીવનમાં થયેલી તકરારની માટે ચાર્લ્સને પણ જવાબદાર ઠેરવવામાં આવે છે, કેમ કે તેણે પાર્કર-બાઉલ્સ સાથે પોતાનું વ્યાભિચારયુક્ત અફૅર ફરી શરુ કરી દીધું હતું.[૨૪] જાહેરમાં તેઓ એક દંપતી તરીકે રહેતા હતા તેમછતાં ચાર્લ્સ અને ડાયના 1980ના દશકના અંતભાગ સુધીમાં ખાસ્સા એવાં અલગ થઇ ગયા હતા. પ્રિન્સ હાઇગ્રોવમાં રહેતા હતા અને પ્રિન્સેસ કેન્સિંગ્ટન પૅલેસમાં રહેતી હતી. વધુ સમયગાળા સુધી બન્નેના અલગાવ અને એકબીજાની ઉપસ્થિતિમાં જોવા મળતી દેખીતી પ્રતિકૂળતા માધ્યમોના ધ્યાનમાં આવવી શરૂ થઇ ગઇ. વધુમાં ચોપાનિયાઓમાં અને સમાચારોમાં પુરાવાઓ અને બેવફાઇના પ્રત્યારોપો પ્રકાશિત થયા હતા. 1992 સુધીમાં આ લગ્ન ફક્ત નામનું જ રહ્યું હતું; તે જ વર્ષના ડિસેમ્બરમાં, યુનાઇટેડ કિંગડમના તત્કાલિન વડાપ્રધાન જોહન મેજરે બ્રિટિશ સંસદમાં પ્રિન્સ અને પ્રિન્સેસના ઔપચારિક વિચ્છેદની જાહેરાત કરી, ત્યારબાદ માધ્યમોએ પતિ-પત્નીના પક્ષ લેવાનું શરૂ કર્યું, જેના કારણે વૉર ઓફ વૅલ્સિસ તરીકે ઓળખાતો ઘટનાક્રમ સર્જાયો. 1993ના ઓક્ટોબરમાં, ડાયનાએ એક મિત્રને પત્રમાં જણાવ્યું કે તેનું માનવું છે કે તેના પતિ હવે ટિગ્ગી લેગ-બોર્કના પ્રેમમાં છે અને તેને પરણવા ઇચ્છે છે.[૨૫] ચાર્લ્સ અને ડાયનાના લગ્નનો અંત 28 ઓગસ્ટ 1996ના રોજ ઔપચારિક છૂટાછેડા સાથે આવ્યો.[૨૬]
પ્રિન્સ અને પ્રિન્સેસ છૂટા પડ્યાના એક વર્ષ બાદ 31 ઓગસ્ટ 1997ના રોજ પેરિસમાં ડાયના એક કાર અકસ્માતમાં મૃત્યુ પામી, તેની સાથે તેનો સાથીદાર ડોડી ફયાદ અને કારચાલક હેનરી પૌલ પણ હતા. મહેલના રાજકીય શિસ્તના નિષ્ણાતોએ એવી દલીલ કરી કે ડાયના હવે શાહી પરિવારની સદસ્ય નહોતી, અને તેની અંતિમયાત્રાની વ્યવસ્થા કરવાની જવાબદારી તેના પિયરપક્ષના લોકો- સ્પેન્સર પરિવાર અને ડાયનાની બહેનોની છે. આ દલીલને ચાર્લ્સે ફગાવી દીધી અને પોતાની ભૂતપૂર્વ-પત્નીની આખરી મંઝિલમાં સાથે રહેવા માટે પેરિસ ગયા. તેમણે એવો પણ આગ્રહ કર્યો હતો કે, ભાવિ રાજા (પોતાના પુત્ર વિલિયમ)ની માતા તરીકે, તેણીને ઔપચારિક શાહી અંતિમયાત્રાનું સન્માન અપાવું જોઇએ: જેથી ખાસ ડાયના માટે જ ઔપચારિક અંતિમયાત્રાની એક નવી જ શ્રેણી ઉભી કરવામાં આવી.
1993માં, બ્રિટિશ ટેમ્બ્લોઇડ્સ પાસે 1989માં વેલ્સના રાજકુમાર અને કેમિલા પાર્કર-બાઉલ્સ વચ્ચે કથિતપણે સેલફોન પર થયેલી વાતચીતની રેકોર્ડિંગ્સ આવી, જેમાં ચાર્લ્સે પોતાની સાથેના તેના સંબંધોને લીધે કેમિલાનાં થયેલા અપમાન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો, તેમાં બન્ને વચ્ચેની ભૌતિક સમીપતાને વ્યક્ત કરતા શબ્દપ્રયોગો પ્રગટ થયા હતા.[૨૭] ત્યારપછીના વર્ષએ એક ટેલિવિઝન મુલાકાતમાં, ચાર્લ્સે એવી કબુલાત કરી કે તેણે વ્યાભિચાર કર્યો હતો “એ વખતે કે જ્યારે લગ્નજીવન પડી ભાંગ્યું હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું”. તે મુલાકાતમાં ચાર્લ્સે જણાવ્યું હતું કે તેમના પિતાએ એક રખાત રાખવાની મંજૂરી આપી દીધી હતી. આ નિવેદનને જો કે ડ્યુક ઓફ એડિનબર્ગે આવેશપૂર્વક ફગાવી દીધા, અને વ્યાભિચારની કબુલાતને કારણે પિતા અને પુત્ર વચ્ચે નોંધપાત્ર પ્રમાણમાં તકરાર થઈ.[સંદર્ભ આપો] બાદમાં જ્યારે એ સ્પષ્ટ થઇ ગયું કે ચાર્લ્સે એ જ કેમિલા પાર્કર-બાઉલ્સ સાથે વ્યાભિચાર કર્યો હતો કે જેની સાથે તેને પ્રેમ હતો, કેમિલાના પતિ એન્ડ્રુએ તાત્કાલિકપણે પોતાની પત્નીથી છૂટાછેડાની માગ કરી અને ત્યારપછી પ્રિન્સ સાથેના પોતાની પત્નીના ચાલી રહેલા પ્રણયફાગ વિશે ચૂપ રહ્યો.
ચાર્લ્સે શ્રીમતી પાર્કર-બાઉલ્સ સાથેના પોતાના સંબંધોને વધુ જાહેર બનાવવાનો પ્રયાસ કર્યો અને તેને સ્વીકૃતિ મળી, તેમણે કેમિલાને વિવિધ પ્રસંગોમાં પોતાની બિનસત્તાવાર, પ્રાસંગિક સાથીદાર બનાવી. પ્રિન્સેસ ઓફ વૅલ્સના મૃત્યુના સમયે આ સાથ પર હંગામી અલ્પવિરામ મૂકી દેવામાં આવ્યું, પણ 1999માં પાર્કર-બાઉલ્સની બહેન એન્નાબેલ એલ્લિયોટના જન્મદિવસની પાર્ટી બાદ ચાર્લ્સ અને પાર્કર-બાઉલ્સની જાહેરમાં તસવીર પાડવામાં આવી, આ એક સંકેત હતો કે તેમનો સંબંધ હવે સત્તાવાર બની ગયો હતો.[સંદર્ભ આપો] આ અનુભૂતિ વધુ બળવત્તર 2000ના જૂન મહિનામાં બની, તે વખતે ચાર્લ્સ અને પાર્કર-બાઉલ્સ રાણીને મળ્યાં હતા. 2003માં કેમિલાએ ચાર્લ્સના ઘરમાં પ્રવેશ કર્યો, જેના પરિણામે બન્ને ઘરના સુશોભનમાં ફેરફાર થયો, અલબત્ત બકિંગહામ પૅલેસે સ્પષ્ટ જણાવ્યું હતું કે નવીનીકરણની કામગીરીમાં જાહેર નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બન્નેના લગ્નની વ્યાખ્યા કરવી મુશ્કેલ હતી, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના ભાવિ સુપ્રીમ ગવર્નરને ચાર્લ્સના એક છૂટાછેડાં લીધેલ સ્ત્રી કે જેની સાથે તેણે ગેરકાયદે સંબંધો હતા તેની સાથેના લગ્ન વિવાદાસ્પદ જણાતા હતા. જાહેર જનતા અને ચર્ચ- બન્નેના મતો બદલાતા રહ્યાં, અને એક તબક્કે સિવિલ મેરેજ એક રુચિકર ઉપાય જણાયો.[સંદર્ભ આપો]
10 ફેબ્રુઆરી, 2005ના રોજ ક્લેરેન્સ હાઉસે ચાર્લ્સ અને કેમિલા પાર્કર-બાઉલ્સની સગાઇ થયાની જાહેરાત કરી; પ્રિન્સે મૂળ તેની દાદીની સગાઇની વીંટી કેમિલાને આપી. 2 માર્ચના રોજ યોજાયેલી પ્રિવી કાઉન્સિલની બેઠકમાં, આ લગ્ન માટે રાણીની સંમતિ (રોયલ મેરેજિઝ એક્ટ 1772 અનુસાર જરૂરી) લેવામાં આવી.[૨૮] કેનેડામાં, જો કે, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એવો નિર્ણય જાહેર કર્યો કે આ લગ્ન માટે મંજૂરી આપવા માટે કેનેડા માટેની રાણીની પ્રિવી કાઉન્સિલે બેઠક યોજવાની જરૂરત નથી, કેમ કે આ લગ્નથી બાળક થવાનું નથી અને તેથી કેનેડાના તાજના વારસાઇ હક્ક ઉપર કોઇ અસર થવાની નથી.[૨૯]
આ બન્નેના લગ્ન તે જ વર્ષની 8 એપ્રિલે વિન્ડસર કૅસલ ખાતે એક નાગરિક સમારોહ દરમિયાન અને ત્યારબાદ સેંટ જ્યોર્જ’સ ચૅપલ ખાતે ધાર્મિક આશીર્વાદ સાથે યોજાવાના હતા. પરંતુ, જો આ નાગરિક લગ્ન વિન્ડસર કૅસલમાં યોજાય તો ત્યારપછી ત્યાં લગ્ન કરવા ઇચ્છતા અન્ય લોકો માટે પણ તેને ઉપલબ્ધ કરવો પડે તેમ હતું, આથી સ્થળ બદલીને વિન્ડસર ગિલ્ડહૉલ રાખવામાં આવ્યું. 4 એપ્રિલના રોજ, એવી જાહેરાત કરવામાં આવી કે વેલ્સના રાજકુમાર અને આમંત્રિત મહેમાનો પૈકીના કેટલાક મહાનુભાવો પોપ જોહન પોલ બીજાની અંતિમયાત્રામાં ઉપસ્થિત રહી શકે તે માટે લગ્નને એક દિવસ પાછા ઠેલવામાં આવ્યા છે. ચાર્લ્સના માતાપિતા આ લગ્ન સમારોહમાં હાજર રહ્યાં નહોતા. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના સુપ્રીમ ગવર્નર તરીકેના પોતાના પદને લીધે રાણી ખચકાયાં હતા.[૩૦] રાણી અને ડ્યુક ઓફ એડિનબરોએ જોકે આશીર્વાદ આપવાની વિધિમાં ઉપસ્થિત રહ્યાં અને તેમણે ત્યારબાદ નવદંપતિ માટે વિન્ડસરના કિલ્લામાં સત્કાર સમારોહ યોજ્યો હતો.[૩૧]
ચાર્લ્સ અને કેમિલાના લગ્નને આશીર્વાદ દરમિયાન કેન્ટરબરીના આર્કબિશપ દ્વારા 1662ના સામાન્ય પ્રાર્થના પુસ્તકમાંથી પશ્ચાતાપની વિધિનો ઉમેરો કરવામાં આવ્યો. શાહી દંપતિએ ઉપસ્થિત સભાસદોને ઘોષણા કરાવડાવી કેઃ
અમે અમારા અગણિત પાપો અને નબળાઇઓને સ્વીકારીએ છીએ તથા તેનો શોક કરીએ છીએ, જેને અમે સમયે સમયે બોલચાલ, વિચાર અને કર્મ દ્વારા પવિત્ર ઇશ્વરની વિરુદ્ધ આચર્યું છે, અને તેમનો રોષ તથા પ્રકોપ વ્હોરી લીધો છે.[૩૨]
આ “ઉગ્ર પશ્ચાતાપની વિધિ” શાહી દંપતિએ પોતાના પાછલા લગ્નો દરમિયાન આચરેલા વ્યાભિચારી પ્રણયના પાપને શમાવવા માટે કરવામાં આવી હોય એવું જણાતું હતું.[૩૩]
આ લગ્નને કારણે ચાર્લ્સ ઇંગ્લેન્ડમાં નાગરિક વિધિ અનુસાર લગ્ન કરનારા શાહી પરિવારના સૌપ્રથમ સદસ્ય બન્યા. બીબીસી (BBC) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના લગ્ન ગેરકાયદેસર છે,[૩૪] અલબત્ત ક્લેરેન્સ હાઉસ દ્વારા તેને રદિયો આપવામાં આવ્યો હતો,[૩૫] અને તત્કાલીન સરકાર દ્વારા તેને રદબાતલ ગણાવવામાં આવ્યા હતા.[૩૬]
મુખ્ય વારસદાર તરીકેના પોતાના વર્ષો દરમિયાન પ્રિન્સ ઓફ વૅલ્સ સંખ્યાબંધ રસના વિષયો તથા ગતિવિધિઓ ધરાવતા હતા, અને સકાવતી કાર્યો તેમજ સ્થાનિક સમુદાયો સાથે સહકાર સાધવામાં પોતાનો સમય અને પ્રયાસો રેડતાં હતા. ધ પ્રિન્સ’સ ટ્રસ્ટની સ્થાપના થયા બાદ, તેમણે વધુ 15 સખાવતી સંસ્થાઓ સ્થાપી હતી, અને હવે તેઓ આ તમામ સંસ્થાઓ તેમજ અન્ય બે સંસ્થાઓના પ્રમુખ તરીકે ફરજ નિભાવતા હતા. આ સંસ્થાઓ એકસાથે મળીને હળવાશમાં ધ પ્રિન્સ’સ ચેરિટીઝ તરીકે ઓળખાતી હતી, જેમણે વાર્ષિક આશરે 110 મિલિયન પાઉન્ડ એકત્ર કર્યા હોવાનો દાવો કરાય છે.[૩૭] ચાર્લ્સ અન્ય આશરે 350 ચેરિટીઝ અને સંસ્થાઓના પેટ્રન પણ છે,[૩૮] તથા કોમનવેલ્થ મૂલકોના વિસ્તારોમાં આ સંસ્થાઓની કામગીરી હાથ ધરે છે; ઉદાહરણ તરીકે, તેઓ કેનેડાના તેમના પ્રવાસનો યુવાનો, અસક્ષમ લોકો, પર્યાવરણ, કલા, દવા, વડીલો, વારસાની જાળવણી તથા શિક્ષણ પ્રત્યે ધ્યાન ખેચવામાં મદદરૂપ થવાના એક રસ્તા તરીકે ઉપયોગ કરે છે.[૩૯] ચાર્લ્સના ભૂતપૂર્વ અંગત સચિવએ વર્ણન કર્યા પ્રમાણે પ્રિન્સ એ પ્રસ્થાપિત સરકારથી અસંતુષ્ટ એક એવા વ્યક્તિ છે કે જે બહુમતી રાજકીય દ્વષ્ટિકોણોથી જૂદું જ કામ કરે છે.[૪૦] જોનાથન ડિમ્બલેબીએ નોંધ્યા પ્રમાણે “પ્રિન્સ વિશ્વની સ્થિતિ અંગે સંખ્યાબંધ દૃષ્ટિકોણ ધરાવે છે.”[૪૧]
વેલ્સના રાજકુમારે અવારનવાર સ્થાપત્ય અને શહેરી આયોજન અંગે જાહેર સમારોહોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં તેમણે “પર્યાવરણ, સ્થાપત્ય, શહેરની આંતરિક કાયાપલટ અને જીવનની ગુણવત્તા જેવા મુદ્દાઓ વિશે ઊંડી કાળજી” લેવા અંગે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો હતો. ક્રિસ્ટોફર એલેક્ઝેન્ડર અને લિયોન ક્રાયરના વિચારોની જેવા નવ-પરંપરાગત વિચારોની તરફેણ માટે ચાર્લ્સ જાણીતા છે. 1984ના હુમલાઓ વિશે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ ખાતે બ્રિટિશ આર્કિટેક્ચરલ કમ્યૂનિટીને કરેલા પોતાના સંબોધનમાં ચાર્લ્સે આ વિચારો વ્યક્ત કર્યા હતા જેમાં લંડનમાં નેશનલ ગેલેરીના સૂચિત વિસ્તરણને “બિહામણાં ગુમડાં” તરીકે વર્ણવ્યું હતું. ચાર્લ્સે એક પુસ્તક પણ પ્રસિદ્ધ કરેલું છે અને તેમણે અ વિઝન ઓફ બ્રિટન શીર્ષક ધરાવતું દસ્તાવેજી ચિત્ર પણ બનાવ્યું છે, જેમાં આધુનિક સ્થાપત્યના કેટલાક પાસાઓની આલોચના કરવામાં આવી છે. વ્યવસાયિક આર્કિટેક્ચરલ પ્રેસે આલોચના કરી હોવા છતાં, પ્રિન્સે પોતાના વિચારો રજૂ કરવાનું અને પરંપરાગત શહેરવાદ, માનવ સૂચકાંકની આવશ્યક્તા, નવા વિકાસના સંકલિત તત્વ અને સાતત્યપૂર્ણ ડિઝાઇન તરીકે ઐતિહાસિક ઇમારતોની પુર્નસ્થાપના અને જળવાઇ રહે એવી રચનાની હિમાયત કરવાનું ચાલુ રાખ્યું છે. ચાર્લ્સની ચેરિટી સંસ્થાઓ પૈકીની બે ખાસ કરીને રચના વિશે ચાર્લ્સના સિદ્ધાંતોને રજૂ કરે છે જેમાં ધ પ્રિન્સ’સ રિજનરેશન ટ્રસ્ટ (જેને 2006માં હેરિટેજ અને ફિનીક્સ ટ્રસ્ટના એકીકરણ કરીને બનાવવામાં આવ્યું હતું.) અને ધ પ્રિન્સ’સ ફાઉન્ડેશન ફોર ધ બિલ્ટ એન્વાયરમેન્ટ (જેમાં 2001માં ધ પ્રિન્સ ઓફ વેલ્સ’સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચરને ભેળવી દેવાયું હતું)નો સમાવેશ થાય છે. વધુમાં, પ્રિન્સ ચાર્લ્સની પ્રેરણાથી પાઉન્ડબરી ગામની રચના કરવામાં આવી હતી, જેની મુખ્ય યોજના લિયોન ક્રાયરે બનાવી હતી.
1996માં કેનેડાના નગરોમાં આવેલા ઐતિહાસિક સ્થળો પૈકીના ઘણાના નિરંકુશ વિધ્વંસ બાદ ચાર્લ્સે કેનેડામાં બિલ્ટ એન્વાયરમેન્ટ માટે એક રાષ્ટ્રીય ટ્રસ્ટની સ્થાપના કરવામાં મદદ કરી હતી. તેમણે કેનેડાના ડિપાર્ટમેન્ટ ઓફ કેનેડિયન હેરિટેજને બ્રિટનનાં સમાન ટ્રસ્ટ પર આધારિત ટ્રસ્ટની રચના કરવામાં મદદનો પ્રસ્તાવ કર્યો હતો, અને 2007નું વર્ષ પૂરું થતાની સાથે કેનેડામાં તેમની માતાના પ્રતિનિધિઓના 2007 ફેડરલ બજેટમાં આની વ્યવસ્થા થઇ, અને આખરે કેનેડાનું નેશનલ ટ્રસ્ટનો સંપૂર્ણપણે અમલ થયો. 1999માં, હેરિટેજ કેનેડા ફાઉન્ડેશન દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી કરવામાં સતતપણે પ્રતિબદ્ધતા દર્શાવનારી મ્યુનિસિપલ ગવર્મેન્ટને અપાતા વેલ્સના રાજકુમાર પ્રાઇઝ ફોર મ્યુનિસિપલ હૅરિટેજ લિડરશીપ માટે પોતાના બિરુદનો ઉપયોગ કરવા દેવાની છૂટ આપવા માટે પણ ચાર્લ્સ સંમત થયા હતા.[૪૨] સ્થાપત્યની દિશામાં પોતાના પ્રયાસો માટે ચાર્લ્સ પુરસ્કારો પણ મેળવી ચૂક્યાં છે જેમાં 2005માં મળેલો નેશનલ બિલ્ડીંગ મ્યુઝિયમના વિન્સેન્ટ સ્કલી પ્રાઇઝ કે જે કેટરિના વાવાઝોડાને કારણે થયેલા નુકશાનનો અભ્યાસ કરવા માટે દક્ષિણ મિસિસિપી અને ન્યુ ઓર્લિયોન્સના પ્રવાસ અને યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાન મળ્યો હતો; આ વાવાઝોડાને લીધે સમાજને થયેલા નુકશાનનો પુનરોદ્ધાર કરવા માટે ચાર્લ્સે પોતાના પુરસ્કારની 25,000 ડોલરની રકમનું દાન કર્યું હતું.
1997ના પ્રારંભમાં, વેલ્સના રાજકુમારે નિકોલ સૌસીઝુના સામ્યવાદી શાસન દરમિયાન થયેલા વિનાશ પૈકીના કેટલાકને, ખાસ કરીને ટ્રેન્સિલવૅનિયાના ઓર્થોડોક્સ મઠ અને સેક્સન ગામોને, નજરે જોવા તથા તે તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે રોમાનિયાની મુલાકાત પણ લીધી હતી, [૪૩][૪૪][૪૫] અહીં તેમણે એક ઘર ખરીદ્યુ હતું.[૪૬] સાંસ્કૃતિક પરંપરા અને ઓળખની કદર કરે એવા સ્થાપત્યની તરફેણ કરતી રોમાનિયાની બે રોમાનિયન બિલ્ટ એન્વાયરમેન્ટ સંસ્થાઃ મિહાઇ એમિનેસ્ક્યુ ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ નેટવર્ક ફોર ટ્રેડિશનલ બિલ્ડિંગ, આર્કિટેક્ચર, એન્ડ અર્બનિઝમના[૪૭] ચાર્લ્સ પેટ્રન પણ બન્યા હતા. “ચાર્લ્સ ઇસ્લામિક કલા અને સ્થાપત્યની ઊંડી સમજણ” પણ ધરાવે છે, અને તેઓ ઓક્સફર્ડ સેન્ટર ફોર ઇસ્લામિક સ્ટડીઝના ભવન અને બગીચાના બાંધકામ સાથે પણ સંકળાયેલા છે જેમાં ઇસ્લામિક અને ઓક્સફર્ડની સ્થાપત્યશૈલીઓનો સમન્વય થાય છે.[૪૮]
સ્થાપત્યમાં ચાર્લ્સની સામેલગીરીને કારણે વિવાદો પણ થયા છે, ખાસ કરીને પોતે જેની સાથે અસંમત હોય તે અભિગમ અથવા સ્થાપત્ય શૈલી ધરાવતા પ્રોજેક્ટ્સની પુર્નરચનામાં પોતાના અંગત હસ્તક્ષેપને લીધે વિવાદો થયેલા છે. તેમણે ખાસ કરીને આધુનિકવાદ અને પ્રવૃત્તિવાદ જેવી શૈલીઓનો તેમણે વિરોધ કર્યો છે.[૪૯][૫૦][૫૧] પ્રિટ્ઝકર પ્રાઇઝ અને સ્ટિર્લિંગ પ્રાઇઝના મેળવી ચૂકેલા રિચર્ડ રોજર્સે યોજનાઓમાં પ્રિન્સના અંગત હસ્તક્ષેપનું વર્ણન “સત્તાના દુરૂપયોગ” અને “ગેરબંધારણીય” તરીકે કર્યું છે.[૫૨] 2009માં, રોજર્સ દ્વારા રચાનારી ચેલ્સિયા બેરેક્સના ડેવલપર એવા કતારના શાહી પરિવારને ચાર્લ્સે એક પત્ર લખ્યો હતો, જેમાં રોજર્સની રચના “અયોગ્ય” હોવાનું સૂચન કર્યું હતું. પરિણામરૂપે, આ યોજનામાંથી રોજર્સને પડતો મૂકાયો હતો અને વિકલ્પ સૂચવવા માટે ધ પ્રિન્સ’સ ફાઉન્ડેશન ફોર ધ બિલ્ટ એન્યારમેન્ટની નિમણૂંક કરવામાં આવી હતી.[૫૦] રોજર્સે એવો દાવો પણ કર્યો છે કે રોયલ ઓપેરા હાઉસ અને પેટર્નોસ્ટર સ્ક્વેરમાં તેની રચનાને અટકાવવા માટે પ્રિન્સે હસ્તક્ષેપ કર્યો હતો.[૫૦]
ચાર્લ્સના અંગત હસ્તક્ષેપોએ સ્થપતિ સમુદાયના જાણીતા સભ્યોની આલોચના વહોરી લીધી છે. નોર્મન ફોસ્ટર, ઝેહા હદીદ, જેક્વસ હેર્ઝોગ, જીયાન નોઉવેલ, રેન્ઝો પિયાનો અને ફ્રાન્ક ગેહરી તથા અન્યોએ ધ સન્ડે ટાઇમ્સને આ વિશે એક એક પત્ર લખ્યો હતો. આ પૈકીના દરેકે પ્રિટ્ઝકર પ્રાઇઝ મેળવેલા છે.[૫૦] તેમણે લખ્યું હતું કે ચેલ્સિયા બેરેક્સ પ્રોજેક્ટના કિસ્સામાં પ્રિન્સ દ્વારા કરાયેલી “અંગત ટિપ્પણીઓ” અને “પરદે કે પીછેના પ્રચારે” “ખુલ્લી અને લોકતાંત્રિક આયોજન પ્રક્રિયાને” ખોરંભે ચઢાવી છે.[૫૦] તેવી જ રીતે, પિયર્સ ગોફ સીબીઇ (CBE) અને અન્ય સ્થપતિઓએ એક પત્ર લખીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સને ચાર્લ્સ દ્વારા કરાનારા સંબોધનનો બહિષ્કાર કરવા પ્રેર્યાં હતા. આ પત્રમાં ગોફે સ્થાપત્ય વિશેના ચાર્લ્સના વિચારોને “વર્ચસ્વવાદી” ગણાવ્યા હતા.[૪૯][૫૧]
1980ના દાયકાના પ્રારંભથી, ચાર્લ્સે પર્યાવરણીય સંવેદનશીલ વિચારણસરણીને પ્રોત્સાહિત કરવામાં નેતાની ભૂમિકા ભજવીને પર્યાવરણ સંબંધી પ્રશ્નોમાં ઊંડો રસ લીધો છે.[સંદર્ભ આપો]. હાઇગ્રૂવ એસ્ટેટમાં રહેવા ગયા બાદ તે સજીવ ખેતી પર તેમનું ધ્યાન વધતું ગયું, જેના પરીણામે 1990માં તેમની પોતાની ઓર્ગેનિક બ્રાન્ડ ડચી ઓરીજનલ્સનો પ્રારંભ કરવામાં આવ્યો,[૫૩] જે હાલમાં ખાદ્યપદાર્થોથી માંડીને ગાર્ડન ફર્નિચર સહિતની 200 જેટલી સાતત્યપૂર્ણ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, જેનો નફો (2008ની સ્થિતિએ 6 મિલિયન પાઉન્ડ) ધ પ્રિન્સ'સ ચેરીટીઝમાં દાનમાં આપવામાં આવ્યો હતો.[૫૪] તેમના એસ્ટેટમાં પોતાના કાર્યોને દર્શાવતા ચાર્લ્સે (ચાર્લ્સ ક્લોવર, ડેઇલી ટેલિગ્રાફ ના પર્યાવરણ એડિટર) સાથે મળીને હાઇગ્રૂવ-એન એક્સપરિમેન્ટ ઇન ઓર્ગેનિક ગાર્ડનિંગ એન્ડ ફાર્મિંગ નામનું પુસ્તક લખ્યું છે, જે 1993માં પ્રકાશિત થયું હતું અને તે ગાર્ડન ઓર્ગેનિકને ઉત્તેજન પૂરું પાડે છે. આવી જ રીતે, વેલ્સના રાજકુમાર ખેતી અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં સંકળાયા, નિયમિત રીતે ખેડૂતોને મળીને તેમના વ્યાપાર અંગે ચર્ચા કરતાં, જો કે 2001માં યુકેમાં પ્રસરેલા ફૂટ-એન્ડ-માઉથ રોગચાળાએ ચાર્લ્સને એસિનીબોઇઆ ટાઉન હોલમાં તેમના મળવા આવેલા સેસકેચવનના ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોને મળતા રોક્યા હતા. 2004માં, તેમણે મટન રેનેસાં કેમ્પેઇનની સ્થાપના કરી હતી જેનો ઉદ્દેશ બ્રિટીશ ઘેટાં ઉછેરતા ખેડૂતોને સહાય કરવાનો અને મટનને બ્રિટનમાં વધારે આકર્ષક બનાવવાનો હતો.[૫૫] જો કે તેમના સજીવ ખેતીના પ્રયાસોની મિડિયા દ્વારા ટીકા કરવામાં આવી – ધ ઇન્ડિપેન્ડેન્ટે ઓક્ટોબર 2006માં જણાવ્યા અનુસાર, "...ડચી ઓરીજનલ્સની સફળતાની વાર્તામાં ચોક્કસ ચીજવસ્તુના વેચાણ કાર્યક્રમમાં વણી લેવામાં આવતા સમાધાન અને અનૈતિક બાબતોનો સમાવેશ થાય છે."[૫૬] અને ફેબ્રુઆરી 2007 ડચી પ્રોડક્ટ્સ પર જ આકરા પ્રહારો કરવામાં આવ્યા, જેમાં ટેબ્લોઇડ ડેઇલી મેઇલે દાવો કર્યો કે ખોરાક "બીગ મેક્સ કરતાં વધારે અસ્વાસ્થપ્રદ હતો".[૫૭] 2007માં ચાર્લ્સે ધ પ્રિન્સ'સ મે ડે નેટવર્ક લોન્ચ કર્યું, જે વાતાવરણમાં થતાં પરીવર્તન સામે પગલાં લેતાં વ્યવસાયને પ્રોત્સાહન આપે છે.
ડિસેમ્બર 2006માં ક્લેરેન્સ હાઉસ દ્વારા જાહેરાત કરવામાં આવી કે વેલ્સના રાજકુમાર તેમની ઘરઆંગણાંની યાત્રાઓની વ્યવસ્થા વધારે ઇકો-ફ્રેન્ડલી બનાવશે અને 2007માં, ચાર્લ્સે તેમના વાર્ષિક એકાઉન્ટ્સમાં તેમની કાર્બન ફૂટપ્રિન્ટની વિગતો જાહેર કરવા ઉપરાંત ઘરગથ્થુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનું લક્ષ્યાંક પણ જાહેર કર્યું.[૫૮] આ જ વર્ષે, તેમને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સેન્ટર ફોર રેલ્થ એન્ડ ધ ગ્લોબલ એન્વાયર્મેન્ટ તરફથી 10મો ગ્લોબલ એન્વાયર્મેન્ટલ સીટીઝન એવોર્ડ આપવામાં આવ્યો, જેના ડિરેક્ટર એરીક શિવિયને જણાવ્યું કે, "વેલ્સના રાજકુમાર દાયકાઓથી કુદરતી વિશ્વના ચેમ્પિયન છે.. તેઓ એવા વૈશ્વિક નેતા છે જે ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને પ્રદૂષિત વસ્તુઓનો પૃથ્વી પર અને હવા તથા મહાસાગરોમાં નિકાલ થતો અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે."[૫૯] જો કે, આ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વ્યાવસાયિક વિમાનમાં અમેરિકા સુધીની ચાર્લ્સની મુસાફરીને કારણે તેમને કેટલાક પર્યાવરણવાદીઓ જેમ કે પ્લેન ક્લાઇમેટ ચેન્જ એક્શન ગ્રૂપના કેમ્પેઇનર જોસ જર્મન તરફથી ટીકા સહન કરવી પડી [૫૮] અને એપ્રિલ 2009માં તેમણે પર્યાવરણના પ્રશ્નોને ઉત્તેજન આપવા માટે યુરોપની પાંચ દિવસની યાત્રા માટે ખાનગી વિમાન ભાડે રાખવાના મુદ્દે પણ ટીકાઓ સહન કરવી પડી હતી.[૬૦]
પ્રિન્સે યુરોપિયન પાર્લામેન્ટમાં 14 ફેબ્રુઆરી 2008ના રોજ ભાષણ આપ્યું જેમાં તેમણે યુરોપિયન યુનિયન નેતાગીરીને આબોહવામાં ફેરફાર સામેના યુદ્ધમાં જોડાવા હાકલ કરી. આ ભાષણ બાદના સ્ટેન્ડિંગ ઓવેશન (તમામ લોકો ઊભા થઈને આપતા સન્માન) દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમ ઇન્ડિપેન્ડન્સ પાર્ટી (યુકેઆઇપી (UKIP))ના નેતા નીગેલ ફેરાજ જ એક માત્ર એવા મેમ્બર ઓફ યુરોપીયન પાર્લામેન્ટ હતા જે બેઠેલા રહ્યા હતા અને તેમણે ચાર્લ્સની સલાહને "નાદાન અને મૂર્ખતાભરી ગણાવી હતી." ફેરાજે આગળ જણાવ્યું હતું કે, "આવા સમયે પ્રિન્સ ચાર્લ્સ જેવા વ્યક્તિને યુરોપીયન પાર્લામેન્ટમાં આવીને એવી જાહેરાત કરવાની પરવાનગી કેવી રીતે આપી શકાય કે તે એવું વિચારે છે કે તેની પાસે વધારે સત્તા છે? તેમના માટે એ વધારે સારું રહ્યું હોત કે તે જે દેશ પર એક દિવસ રાજ્ય કરવાના છે તેમાં રહીને ગોર્ડન બ્રાઉનને લોકોને ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચન (લિસ્બનની સંધિ અંગે) પૂરા કરવા માટે રાજી કરે."[૬૧]
સર લૌરેન્સ વાન ડર પોસ્ટ 1977માં ચાર્લ્સના મિત્ર બન્યા, જે સંબંધોને કારણે તેમને "પ્રિન્સ ચાર્લ્સના ગુરુ" માની લેવામાં આવ્યા અને તેમને ચાર્લ્સના પુત્ર પ્રિન્સ વિલિયમ્સના ગોડફાધર બનાવી દીધા. તેમની પાસેથી વેલ્સના રાજકુમારે તત્વજ્ઞાન, ખાસ કરીને એશિયન અને મધ્યપૂર્વ દેશોના તત્વજ્ઞાન, અને કબ્બાલિસ્ટિક કલાકૃતિઓની પ્રશંસા કરતી ન્યૂ એઝ થીયોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું [૬૨] અને 2003માં મૃત્યુ પામેલા નીયોપ્લેટોનિક કવિ કેથલીન રૈનની યાદોને શબ્દોમાં ઢાળવાનું શરૂ કર્યું.[૬૩]
ગ્લોસેસ્ટરશાયરમાં હાઇગ્રૂવ ખાતેના તેમના નિવાસસ્થાનની આસપાસમાં આવેલા અનેક જુદા-જુદા એંગ્લિકન ચર્ચમાં પ્રિન્સ સર્વિસમાં હાજરી આપવા માટે જાણીતા છે [૬૪] અને બાલમોરલ કિલ્લામાં હોય ત્યારે ક્રેથી કિર્ક ખાતે નિયમિત પ્રાર્થના કરવા માટે પણ તેઓ પ્રસિદ્ધ છે. 200માં, તેમને ચર્ચ ઓફ સ્કોટલેન્ડની જનરલ એસેમ્બ્લીમાં લોર્ડ હાઇ કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતા.
વેલ્સના રાજકુમાર રૂઢિવાદી મોનાસ્ટેરીઝ સાથે કેટલોક સમય ગાળવા માટે દરવર્ષે (ગુપ્ત રીતે) માઉન્ટ એથોર[૬૫] ઉપરાંત રોમાનિયાની પણ યાત્રા કરે છે, [૪૩] જે તેમની રૂઢિવાદી ખ્રિસ્તિધર્મમાં રહેલી રૂચીને દર્શાવે છે.[૬૬][૬૭][૬૮] તેમના પિતાની સાથે, જેઓ ગ્રીક ઓર્થોડોક્સ તરીકે જ જન્મ્યા અને ઉછર્યા હતા, ચાર્લ્સ ફ્રેન્ડ્સ ઓફ માઉન્ટ એથોસ ઉપરાંત 21મી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ બાયઝાન્ટાઇન સ્ટડિસના હિમાયતી છે.[૬૯] એવું માનવામાં આવે છે કે પ્રિન્સ ચાર્લ્સના ઘરમાં એક ઓર્થોડોક્સ આઇકોન માટેનો ખૂણો આવેલો છે, જ્યાં તેઓ તેમના મોટાભાગના ઓર્થોડોક્સ આઇકોન્સ રાખે છે. આમાંથી કાંઇપણ આશ્ચર્યજનક નથી કારણ કે પ્રિન્સ ચાર્લ્સના પિતાનો ઉછેર ગ્રીક ઓર્થોડોક્સ તરીકે થયો હતો, પરંતુ તેમણે તેમની વર્તમાન પત્ની મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે લગ્ન કરવા માટે ધર્મપરિવર્તન કર્યું હતું, અહેવાલો અનુસાર, તાજેતરના વર્ષોમાં તેમના પિતા પ્રિન્સ ફિલિપ પણ પેનિન્સુલાની કેટલીક પ્રસંગોપાત રીટ્રીટમાં તેમની સાથે જોડાયા હતા.[૬૫]
ચાર્લ્સ ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે આવેલા ઓક્સફર્ડ સેન્ટર ફોર ઇસ્લામિક સ્ટડિઝના પણ પેટ્રોન છે.[૪૮][૭૦]
ચાર્લ્સે વૈકલ્પિક દવાઓમાં પણ રસ દાખવ્યો હતો, જેના ઉત્તેજનના પ્રસંગો ક્યારેક વિવાદમાં પરીણમતા હતા.[૭૧] 2004માં, ચાર્લ્સના "ફાઉન્ડેશન ફોર ઇન્ટેગ્રેટેડ હેલ્થે" વૈજ્ઞાનિક અને મેડિકલ સમુદાયને જનરલ પ્રેક્ટિશનરને નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ સારવાર લેતા દર્દીને ઔષધીય અને અન્ય વૈકલ્પિક દવાઓ આપવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના મુદ્દે વહેંચી નાંખ્યો, [૭૨][૭૩] અને મે 2006માં, જિનીવા ખાતે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં વિવિધ દેશોના આરોગ્ય મંત્રીઓના બનેલા શ્રોતાગણ સમક્ષ ચાર્લ્સે પરંપરાગત અને વૈકલ્પિક દવાઓ વચ્ચે સંકલન સાથવા અંગે આયોજન કરવાની અપીલ કરતું વક્તવ્ય આપ્યું હતું.[૭૪]
એપ્રિલ 2008માં, ધ ટાઇમ્સે એડ્ઝાર્ડ અર્ન્સ્ટનો એક પત્ર પ્રકાશિત કર્યો હતો જેમાં પ્રિન્સ'સ ફાઉન્ડેશનને "વૈકલ્પિક દવાઓ"ને ઉત્તજેન આપતી બે ગાઇડ દૂર કરવાનું કહીને આગળ જણાવ્યું હતું કે, "મોટાભાગની વૈકલ્પિક ઉપચાર દવાખાનામાં બિનઅસરકારક રહેતી હોવાનું જણાય છે અને ઘણી તો તદ્દન જોખમી છે." ફાઉન્ડેશનના પ્રવક્તાએ ટીકાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, "અમે એવા આરોપોને સંપૂર્ણ રીતે નકારીએ છે કે અમારા ઓનલાઇન પબ્લિકેશન કોમ્પ્લિમેન્ટરી હેલ્થકેર- અ ગાઇડ માં પૂરક ઉપચાર અંગેના ફાયદાઓ કોઇ પણ પ્રકારે ગેરમાર્ગે દોરનારા અથવા અચોક્કસ દાવાઓ છે. તેનાથી વિપરિત, તે લોકોનો પુખ્ત ગણે છે અને માહિતીના વિશ્વાસપાત્ર સ્ત્રોત પર નજર નાંખવા લોકોને પ્રોત્સાહનજનક અભિગમ અપનાવે જેથી તેઓ માહિતીસભર નિર્ણય લઇ શકે. ફાઉન્ડેશન પૂરક ઉપચાર પદ્ધતિઓને ઉત્તેજન આપતી નથી."[૭૫] અર્ન્સ્ટે વિજ્ઞાન લેખક સિમોન સિંઘ સાથે મળીને વૈકલ્પિક દવાઓને વખોજતું એક પુસ્તક ટ્રીક ઓર ટ્રીટમેન્ટ-ઓલ્ટરનેટિવ મેડિસીન ઓન ટ્રાયલ તાજેતરમાં પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકને વક્રોક્તિપૂર્ણ રીતે "એચઆરએચ (HRH) ધ વેલ્સના રાજકુમાર"ને સમર્પિત કરવામાં આવ્યું છે અને છેલું પ્રકરણ "પૂરક" અને "વૈકલ્પિક" ઉપચારની તેમની ભલામણોની ટીકા કરે છે.[૭૬]
પ્રિન્સની ડચી ઓરિજનલ્સ સંખ્યાબંધ સીએએમ ઉત્પાદનો બનાવે છે, જેમાં "ડેટોક્સ ટીંચર"નો સમાવેશ થાય છે, જેને પ્રોફેસર એડ્ઝાર્ડ અર્ન્સ્ટે જોખમી ચીજોનો "નાણાંકીય દૂરુપયોગ" અને ઊંટવૈદું કહીને ઉતારી પાડી છે."[૭૭] મે 2009માં, એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરીટીએ ડચી ઓરીજનલ્સ દ્વારા ઇચીના-રીલિફ, હાપરી-લિફ્ટ અને ડેટોક્સ ટીંચર ઉત્પાદનોની જાહેરાત માટે મોકલવામાં આવેલા તેના ઇમેઇલને ગેરમાર્ગે દોરતાં જાહેર કર્યા હતા.[૭૮] મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ (MHRA))એ આ પ્રકારની આયુર્વેદિક ચીજોના લેબલનું નિયમન કરતાં નિયમો ઢિલા કર્યા તેના થોડા સમય પહેલાં પ્રિન્સે જાતે ઓછામાં ઓછા સાત પત્રો તેમને લખ્યા હતા,[૭૯] એમએચઆરએના આ પગલાંની વૈજ્ઞાનિકો અને મેડિકલ સંસ્થાઓએ બહોળી ટીકા કરી હતી.[૮૦]
31 ઓક્ટોબર 2009ના રોજ એવા અહેવાલ આપવામાં આવ્યા હતા કે પ્રિન્સ ચાર્લ્સે એનએચએસ (NHS) પર વૈકલ્પિક દવાઓના બહોળા ઉપયોગ અંગેના પ્રાવધાન કરવા માટે આરોગ્ય સચિવ એન્ડિ બર્નહેમ સમક્ષ જાતે જ તેનું લોબિંગ કર્યું હતું.[૭૭]
2010માં, ઓડિટર દ્વારા એકાઉન્ટિંગ અનિયમિતતાઓ ધ્યાન પર લાવવામાં આવી ત્યાર બાદ, પ્રિન્સીસ ફાઉન્ડેશનના બે ભૂતપૂર્વ અધિકારીઓની લગભગ 300,000 પાઉન્ડના ફ્રોડ માટે ધરપકડ કરવામાં આવી.[૮૧] ધરપકડના ચાર દિવસ બાદ, એફઆઇએચ (FIH)એ એવો ખોટો દાવો કરીને કે "સંસ્થાએ સંકલિત આરોગ્યના ઉપયોગને ઉત્તેજન આપવાનો તેનો મુખ્ય ઉદ્દેશ પાર પાડી દીધો છે તેવી જાહેરાત કરીને તેને બંધ કરવાની જાહેરાત કરી."[૮૨]
વિવિધ લોકોની સમસ્યાઓ ચાર્લ્સના પ્રયત્નોનું લક્ષ્યાંક હતું, ખાસ કરીને લાંબાગાળાની બેકારી, કાયદાને કારણે તકલીફ ભોગવતા લોકો, શાળામાં લોકોને પડતી મુશ્કેલીઓ અને હોસ્પિટલમાં રહેલા લોકો. ધ પ્રિન્સ’સ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ચાર્લ્સ યુવાન લોકો સાથે કામ કરે છે, વિવિધ જૂથો, વ્યાવસાયિકો અને બહારથી ટેકો મેળવવામાં મુશ્કેલી અનુભવતા લોકોને લોન આપે છે. ટ્રસ્ટના લાભાર્થે ફંડ એકઠું કરવા માટેના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જેમાં અગ્રણી પોપ, રોક, અને ક્લાસિકલ સંગીતકારો ભાગ લે છે. કેનેડામાં, વંશીય ભેદભાદને દૂર કરવા માટેના 1998ના ઇન્ટરનેશનલ ડેની ઉજવણીના કાર્યક્રમમાં ચાર્લ્સે તેમના બે પુત્રો સાથે ભાગ લઈને,[૩૯] 2001માં જ્યારે તેમણે રિજાઇનામાં શહેરની અંદર આવેલી સ્કૂલ સ્કોટ કોલેજીએટની મુલાકાત લીધી ત્યારે સેસકેચવનમાં કેનેડિયન યુથ બિઝનેસ ફાઉન્ડેશનને લોન્ચ કરવામાં મદદ કરીને, માનવીય પ્રોજેક્ટ્સને પણ ટેકો આપ્યો હતો.
1975માં નોર્થવેસ્ટ પ્રદેશોમાં સમય પસાર કર્યાબાદ, ચાર્લ્સને ઉત્તરીય કેનેડા ઉપરાંત કેનેડાના મૂળ લોકોમાં ખાસ રસ પડ્યો, જેના નેતાઓને તેઓ મળતા અને કેટલીક વખત તેમની સાથે ચાલવા નીકળીને ચર્ચાઓ પણ કરવા માટે પણ સમય ફાળવતા. આ સંબંધોને પ્રતિબિંબિત કરતાં, વેલ્સના રાજકુમારને ફર્સ્ટ નેશન્સ કમ્યુનિટીઝ તરફથી ખાસ હોદ્દો આપવામાં આવ્યો હતો,1996માં, વિનિપેગમાં ક્રી અને ઓજીબવે વિદ્યાર્થીઓએ પ્રિન્સને લિડિંગ સ્ટારનું નામ આપ્યું હતું, અને 2001માં સેસકેચવન પ્રદેશની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન તેમને પિસિમ્વા કેમિવોહકિતાહ્પામિકોક અથવા "સૂર્ય પણ તેમની તરફ સારી દ્રષ્ટિથી જુએ છે" એમ કહીને નવાજવામાં આવ્યા હતા. તેઓ નિકોલે સીએસેસ્કૂના માનવ હક રેકોર્ડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરનારા વૈશ્વિક નેતાઓમાંના એક હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફલક પર વિરોધનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો[૮૩] અને ત્યારબાદ તેમણે રોમાનિયન અનાથાલય ચલાવતા એફએઆરએ (FARA) ફાઉન્ડેશનને પણ સહાય આપી હતી.[૮૪]
ચાર્લ્સે 1986માં બિલ્ડર્બેર્ગ ગ્રૂપ કોન્ફરન્સમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના આર્થિક કટોકટી અંગેની ચર્ચા સાંભળવા માટે ભાગ લીધો હતો.[૮૫]
યુવાવસ્થાથી જ રાજકુમાર પોલોના ઉત્સાહી ખેલાડી હતા, 1992 સુધી સ્પર્ધાત્મક ટીમોના ભાગ પણ હતા, અને 2005 સુધી માત્ર દાનના હેતુ માટે રમાતી સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા, ત્યારબાદ તેમણે રમત દરમિયાન થયેલી બે વખતની થયેલી નોંધપાત્ર ઇજાઓને કારણે રમવાનું છોડી દીધું – 1990માં તેમનો હાથ તૂટ્યો અને 2001માં પડી ગયા બાદ થોડા સમય માટે તેઓ બેભાન થઈ ગયા હતા.[૮૬] 2005માં ફોક્સ હન્ટિંગની રમત પર યુનાઇટેડ કિંગ્ડમમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલાં ચાર્લ્સ ફોક્સ હન્ટિંગમાં પણ ઘણીવાર ભાગ લેતા હતા. 1990ના પાછલા સમયમાં, આ પ્રવૃત્તિ અંગેનો વિરોધ વધતાં, જ્યારે સરકાર પીછો કરીને શિયાળના શિકાર પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે 1999માં જ્યારે ચાર્લ્સ તેમના પુત્રોને બૌફોર્ટ હન્ટ માટે લઈ જતા હતા, ત્યારે તેમના પર હુમલો કરનાર લીગ અગેઇન્સ્ટ ક્રૂઅલ સ્પોર્ટ્સ જેવા આ પ્રવૃત્તિનો વિરોધ કરાનારા લોકો પ્રિન્સ ઓફ વેલ્સની આ રમતમાં ભાગ લેવાની પ્રવૃત્તિને "રાજકીય નિવેદન" તરીકે જોતા હતા.[૮૭][૮૮] રાજકુમાર યુવાવસ્થાથી જ ઉત્સાહી સેલમન એન્જલર હતા, અને નોર્થ એટલાન્ટિક સેલમનને બચાવવાના ઓરી વિગ્ફુસનના પ્રયાસોના સહાયક હતા. ચાર્લ્સ એબરડીનશાયર, સ્કોટલેન્ડમાં ડી નદીમાં અવારનવાર માછીમારી કરતા ત્યારે તેઓ દાવો કરે છે કે તેમની વિશેષ યાદો વોપનાફ્જોરૌર, આઇસલેન્ડની છે.[૮૯]
ચાર્લ્સે જલીયરંગોને કેન્દ્રમાં રાખીને વિઝ્યુઅલ આર્ટસમાં પણ હાથ અજમાવ્યો હતો અને તેમની અનેક ચિત્રકૃતીઓનાં પ્રદર્શન યોજ્યાં હતાં અને તેનું વેચાણ કરવા ઉપરાંત આ વિષય પર પુસ્તક પણ પ્રકાશિત કર્યા હતા. યુનિવર્સિટીમાં તેમણે અભિનય પણ કર્યા હતો, બિનવ્યાવસાયિક રીતે ભજવાયેલા કોમેડી નાટકમાં તેમણે ભૂમિકા ભજવી હતી, જેનો આનંદ રાજકુમારના જીવનના પાછલા વર્ષોમાં પણ ચાલુ રહ્યો હતો અને તેના પુરાવારૂપે તેમણે 60મા જન્મદિવસ નિમિત્તે કોમેડી નાટકનું આયોજન કર્યું હતું.[૯૦] તેમને ઇલ્યુઝનિઝમ (ભ્રમવાદ)માં પણ રસ હોવાથી કપ્સ એન્ડ બોલ્સ ઇફેક્ટનું પ્રદર્શન કરીને ઓડિશનમાંથી પાસ થયા બાદ તેઓ ધ મેજિક સર્કલના સભ્ય પણ બન્યા હતા.[૯૧] પ્રિન્સ હાલમાં રિજાઇના સીમ્ફની ઓરકેસ્ટ્રા અને રોયલ શેક્સપિયર કંપની સહિત અનેક થીયેટર્સ, અભિનેતા ગ્રૂપ, અને ઓરકેસ્ટ્રા સમૂહોના પેટ્રન છે અને કેનેડિયન ગાયક અને ગીતકાર લીઓનાર્દ કોહેનના પ્રશંસક છે.[૯૨] તેઓ ઓટોમોબાઇલ્સ, ખાસ કરીને બ્રિટીશ મર્ક એસ્ટન માર્ટીનના સંગ્રહક છે અને અનેક મોડલ ખરીદવા અને ફેક્ટરી તેમજ તેના સર્વિસ વિભાગની વારંવાર મુલાકાત લેવાને કારણે તેમજ કંપનીના સ્પેશ્યલ લંચ પ્રસંગોએ અતિથિ વિશેષ તરીકે હાજરી આપવાને કારણે બંધાયેલા નજીકના સંબંધોને કારણે આ પ્રસંગે એસ્ટન માર્ટીનની ખાસ પ્રિન્સ ઓફ વેલ્સ આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી હતી.
ચાર્લ્સ બર્નલી ફૂટબોલ ક્લબના ટેકેદાર છે.[૯૩]
પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે પ્રિન્સ ચાર્લ્સ તેમની માતાની કોઇપણ કોમનવેલ્થ મુલકોના સત્તાધીશ તરીકેની ભૂમિકામાં તેમના વતીથી અનેક સત્તાવાર ફરજો બજાવે છે. તેઓ વિદેશી મહાનુભાવની અંતિમક્રિયામાં મહારાણી બદલે હાજરી આપશે (મહારાણી સામાન્ય રીતે તેમાં ભાગ લેતી હોતી નથી). તેઓ બ્રિટીશ શાસનમાં રાજ્યારોહણમાં ભાગ લેશે. પોપ જ્હોન પોલ દ્વિતીયની અંતિમક્રિયામાં હાજરી આપતી વખતે ચાર્લ્સે અન્ય આમંત્રિતો સાથે હસ્તધૂનન કરીને વિવાદ ઊભો કર્યો હતો, ચાર્લ્સે આશ્ચર્યજનક રીતે તેની બાજુમાં બેઠેલા ઝિમ્બાબ્વેના પ્રમુખ રોબર્ટ મુગાબે સાથે હસ્તધૂનન કર્યું હતું. ત્યારબાદ ચાર્લ્સની ઓફિસમાંથી નિવેદન જારી કરવામાં આવ્યું હતું, વેલ્સના રાજકુમારને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેઓ મુગાબે સાથે હસ્તધૂનન ટાળી શક્યા ન હતા. વર્તમાન ઝિમ્બાબ્વે સરકાર પ્રિન્સ માટે અનિચ્છનીય છે. તેમણે આ સરકાર દ્વારા દમન કરવામાં આવેલા લોકો માટે કામ કરતાં ઝિમ્બાબ્વે ડિફેન્સ અને એઇડ ફંડને પણ સહાય કરી છે. પ્રિન્સ તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સરકારની ખુલ્લેઆમ ટીકા કરતાં બુલાવાયોના આર્કબિશપ પાયસ એનક્યુબને પણ મળ્યા હતા.[૯૪]
ચાર્લ્સ અને કોર્નવેલની ઉમરાવ સ્ત્રી બંનેએ યુનાઇટેડ કિંગ્ડમ તરફથી વિદેશ મુસાફરી કરી હતી. રાજકુમારને રીપબ્લિક ઓફ આયર્લેન્ડની મુલાકાત સાથે દેશના અસરકારક હિમાયતી તરીકે માનવામાં આવે છે, જ્યાં તેમણે જાતે જ સંશોધન કરીને લખેલું એંગ્લો-આઇરીશ બાબતો સંબોધન કર્યું હતું, જેને આઇરીશ રાજકર્મીઓ અને મિડિયા દ્વારા અદભૂત આવકાર આપવામાં આવ્યો હતો અને તેને દૃષ્ટાંત તરીકે ટાંકવામાં આવે છે. કેનેડિયન સશસ્ત્ર દળોને આપવામાં આવેલી સેવાને કારણે તેમને દળોની પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપવામાં આવે છે અને તેઓ કેનેડામાં કે વિદેશમાં હોય ત્યારે આ દળોની મુલાકાત લેવાની અને ઉજવણીઓમાં ભાગ લઇ શકે છે. દાખલા તરીકે 2001માં, તેમણે ફ્રેન્ચ રણમેદાનમાંથી લાવવામાં આવેલી વનસ્પતિ અને ફૂલોમાંથી બનાવેલો ખાસ હાર અજાણ્યા સૈનિકની કેનેડિયન કબર પર મૂકીને શ્રદ્ધાંજલિ આપી હતી, અને 1981માં તેઓ કેનેડિયન વોરપ્લેન હેરીટેડ મ્યુઝિયમના પેટ્રન પણ બન્યા હતા.
પ્રિન્સ ચાર્લ્સ વેલ્સની નિયમિત મુલાકાત લેતા હતા અને દર ઉનાળામાં સનેડની કાર્યવાહી શરૂ થવા જેવા મહત્વના રાષ્ટ્રીય પ્રસંગોમાં હાજરી આપતા હતા. 2000માં ચાર્લ્સે પ્રિન્સ ઓફ વેલ્સના સત્તાવાર હાર્પીસ્ટ હોવાની પરંપરાને ફરીથી અમલમાં મૂકી, જેથી વેલ્સના રાષ્ટ્રીય વાદ્ય હાર્પને વગાડનારા વેલ્શ ટેલેન્ટને પ્રોત્સાહન મળે. તે અને કોર્નવોલની ઉમરાવ સ્ત્રી દરવર્ષે એક સપ્તાહ ગાળતા સ્કોટેલેન્ડમાં હતા, જ્યાં પ્રિન્સ અનેક સ્કોટીશ સંસ્થાઓના પેટ્રન છે.
પ્રિન્સ ચાર્લ્સ "ધ રોયલ કલેક્શન ટ્રસ્ટ"ના ડિરેક્ટર છે, જેનો કોઈ લેખિત વ્યવસાય નથી.[૯૫]
કેટલીક વખત ચાઝા (ગાઝા, હેઝા અને તેના જેવા અન્ય શબ્દોની જેમ)[સંદર્ભ આપો] તરીકે ઉલ્લેખ કરવામાં આવતા અને સ્પિટિંગ ઇમેજ અને ધ રાધર લેટ પ્રોગ્રામ વીથ પ્રિન્સ ચાર્લ્સ – ધ લેટ લેટ શો પર, ક્રેગ ફર્ગુસન દ્વારા પેરોડી કરવામાં આવતા પ્રિન્સ ચાર્લ્સ તેમના જન્મથી જ મિડિયાના કેન્દ્રમાં રહ્યા છે, અને જેમ તેમની ઉંમર વધતી ગઈ તેમ મિડિયાનું તેમના પરનું ધ્યાન પણ વધતું ગયું. તેમના પ્રથમ લગ્ન પહેલાં, તેમને ટાઇમ ના કવર પર વિશ્વના સૌથી યોગ્ય અપરણિત તરીકે રજૂ કરવામાં આવ્યા હતા, અને તેમના વિવિધ અફેર્સને અનુસરીને તેને આલેખવામાં આવતા હતા. ડાયના સાથેના તેમના લગ્ન બાદ ધ્યાન વધ્યું, જો કે વધારે ધ્યાન વેલ્સની રાજકુમારી તરફ રહેતું, જે સ્ટાર એટ્રેક્શન હતા, જેમનો પીછો પાપારાઝીઓ દ્વારા કરવામાં આવતો હતો અને તેમનું દરેક પગલાં (હેરસ્ટાઇલમાં કરવામાં આવતું પરિવર્તન)નું અનુસરણ લાખો લોકો દ્વારા કરવામાં આવતું હતું. તેમના સંબંધો બગડવાનું શરૂ થતાં, ડાયનાએ મિડિયાનો ઉપયોગ પોતાના લાભ માટે કરવાનું શરૂ કર્યું અને રોયલ મેરેજ અંગેના સમાચાર પ્રેસમાં આપવામાં તે નજીકથી સંકળાયેલી હતી, તેના કારણે મિડિયાનો ટેકો વહેંચાઇ ગયો અને ધ મીરર અને ધ ટેલિગ્રાફ ચાર્લ્સની સાથે રહ્યા.
પ્રિન્સ ઓફ વેલ્સ પર વધારે સમાચારો આપવાની જદ્દોજહેતમાં મિડિયાએ ચાર્લ્સની અંગતતાનો પણ અનેક વખત ભંગ કર્યો હતો. 2006માં, 1997માં હોંગકોંગનું સાર્વભૌમત્વ ચીનને સોંપવા બાબતે, ચાર્લ્સે ચાઇનીઝ સરકારી અધિકારીઓને પ્રાચીન ક્રૂર રીતરસમો અપનાવનારા દ્વારા ઓળખવ્યા હતા, જેવી બાબતો અંગેના તેમના અભિપ્રાયો દર્શાવતી તેની અંગત ડાયરીના અંશો પ્રકાશિત કરવામાં આવ્યા તેના પગલે પ્રિન્સે ધ મેઇલ ઓન સન્ડે પર કેસ કર્યો હતો.[૪૦] અન્ય લોકોએ પ્રિન્સ સાથેના તેમના ભૂતકાળના સંબંધોનો ઉપયોગ મિડિયા પાસેથી નફો મેળવવા માટે કર્યો હતો, જેમ કે ચાર્લ્સના ઘરના ભૂતપૂર્વ સભ્યએ આંતરીક નોંધ પ્રેસમાં રજૂ કરી હતી જેમાં ચાર્લ્સે મહત્વાકાંક્ષા અને તક અંગે ટીપ્પણી કરી હતી, અને જેનું અર્થઘટન ગુણોને આધારે થતી પસંદગીને સમાજમાં સ્પર્ધાત્મક વાતાવરણ પેદા કરવા માટે દોષિત ઠેરવવાની રીતે કરવામાં આવ્યું હતું. તેની સામે રોષપૂર્ણ રીતે જવાબ આપતાં, ચાર્લ્સે નિવેદન કર્યું હતું કે, "મારા મતે, પ્લમ્બર કે કડિયો હોવું એ પણ વકિલ કે ડોક્ટર હોવા જેટલી જ મહાન સિદ્ધિ છે",[૯૬] અને બ્રિટિશ મેનર્સના ટીકાકાર લિએન ટ્રસના ટોક ટુ ધ હેન્ડ માં મેમોને મેરીટ આધરીત પસંદગીની પ્રક્રિયાની સકારાત્મક પ્રેરક અસરને સ્પર્ધાત્મક સમાજની નકારાત્મક અસર સામે કઈ રીતે સંતુલનમાં લાવી શકાય તેના યોગ્ય નિરીક્ષણ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
સમગ્ર રીતે, ચાર્લ્સે લોકપ્રિય પ્રેસ અંગે અણગમો પેદા કર્યો હતો, જે આકસ્મિક રીતે જે તેમના પુત્ર વિલિયમના 2005ના પ્રેસ ફોટો-કોલ દરમિયાન નજીકમાં રહેલા માઇક્રોફોનના માધ્યમથી બહાર આવ્યો હતો – "મને આ બધી બાબતો અંગે ધિક્કાર છે... આ નક્કામા લોકો,"[૯૭] અને તેમણે બીબીસી (BBC)ના રોયલ પત્રકાર નિકોલસ વિશેલ વિશે ખાસ કહ્યું હતું કે, "હું તે માણસને સહન કરી શકતો નથી. મારા કહેવાનો અર્થ એ છે કે તે ખરેખર ડરામણો છે, ખરેખર તે એવો જ છે."[૯૭]
જો કે પ્રિન્સ ઓફ વેલ્સ પોતે જ અનેક વખત શ્રેણીઓમાં રજૂ થઈ ચૂક્યા છે. 1984માં તેમણે તેમના બચપણના પુસ્તક, ધ ઓલ્ડ મેન ઓફ લોચનગર નું વાંચન બીબીસી (BBC)ના જેકેનોરી પ્રોગ્રામમાં કર્યું હતું. યુકેની સોપ ઓપેરા કોરોનેશન સ્ટ્રીટ ની 40મી વર્ષગાંઠના શોમાં પણ ચાર્લ્સ 2000માં દેખાયા હતા,[૯૮] એવી જ રીતે તેમની ન્યૂઝીલેન્ડની મુલાકાત દરમિયાન શોના નિર્માતાનું પરફોર્મન્સ જોયા બાદ તેઓ ન્યૂઝીલેન્ડની પુખ્તો માટેની કાર્ટૂન શ્રેણી બ્રો ટાઉન (2005)માં પણ દેખાયા હતા. જો કે તેમણે ડોક્ટર હૂ ના એપિસોડમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવવા માટે કરવામાં આવેલી વારંવારની વિનંતીને સ્વીકારી ન હતી.[૯૯] ચાર્લ્સે ઇન્ટરવ્યુ આપવાનું ચાલુ રાખ્યું હતું, જેમકે 2006માં ધ પ્રિન્સીસ ટ્રસ્ટની 30મી વર્ષગાંઠ માટે એન્ટ એન્ડ ડેકે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો.
સ્વર્ગીય ક્વિન મધર, મહારાણી એલિઝાબેથનું લંડન ખાતેનું પૂર્વ રહેણાંક ક્લેરેન્સ હાઉસ વેલ્સના રાજકુમાર વર્તમાન સત્તાવાર રહેણાંક છે. અગાઉ, તેઓ સેન્ટ જેમ્સીસ પેલેસ ખાતે એક અપાર્ટમેન્ટમાં રહેતા હતા. ચાર્લ્સ ગ્લોસેસ્ટરશાયર, હાઇગ્રૂવ હાઉસમાં એક ખાનગી એસ્ટેટ ધરાવે છે અને બીજું એક સ્કોટલેન્ટમાં બોલમોરલ કેસલ નજીક આવેલા અને અગાઉ ક્વિન મધર દ્વારા માલિકી ધરાવવામાં આવતા બિર્કહોલ એસ્ટેટની માલિકી પણ તેમની છે. ડાયના સાથેના લગ્નના પ્રસંગે, ચાર્લ્સે ડચીસ ઓફ કોર્નવેલ દ્વારા મેળવવામાં આવતા નફામાંથી સ્વૈચ્છિક કર ફાળો 50 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો હતો.[૧૦૦]
2007માં, પ્રિન્સે 192 એકર (150 એકર ચરાઉ અને પાર્કલેન્ડ અને 40 acres (160,000 m2) જંગલ) પ્રોપર્ટી કેર્માર્થેનશાયરમાં ખરીદી અને આ ફાર્મને તેમના તથા ડચીસ ઓફ કોર્નવેલ માટે વેલ્શ હોમમાં તબદિલ કરવા પરવાનગી માગી, જેને શાહી જોડું બહાર હોય ત્યારે હોલિડે ફ્લેટ્સ તરીકે ભાડે આપી શકાય.[૧૦૧] પાડોશોએ જણાવ્યું કે સૂચિત તબદિલી સ્થાનિક આયોજન નિયમનોનો ભંગ કરે છે, અરજીને જ્યાં સુધી સ્થાનિક ચામાચિડિયાની વસતિને કઇ રીતે આ તબદિલીથી અસર થાય છે તે અંગેનો અહેવાલ તૈયાર થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી હતી.[૧૦૨] ચાર્લ્સ અને કેમિલાએ જૂન 2008માં લ્વાયનીવેર્મોન્ડ નામે નવી મિલકત રહેણાંક તરીકે ખરીદી હતી.[૧૦૩]
ચાર્લ્સને તેમના સમગ્ર જીવન દરમિયાન શાસકના પૌત્ર તરીકે, શાસકના પુત્ર તરીકે અને પછીથી રાજકુમાર તરીકેના તેમના અધિકારની રીતે અને ઉમરાવ તરીકે અનેક ખિતાબો મળ્યા છે. પ્રિન્સ ઓફ વેલ્સ સાથેની વાતચીત દરમિયાન, પ્રારંભમાં તેમને યોર રોયલ હાઇનેસ તરીકે અને પછીથી સર તરીકે સંબોધવાની પ્રણાલી છે.
રાજ્યારોહણ સમયે પ્રિન્સ કયું શાહી નામ પસંદ કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. જો તે પોતાનું હાલનું નામ ચાલુ રાખે તો તે ચાર્લ્સ ત્રીજો બનશે. જો કે, ચાર્લ્સે એવું સૂચવ્યું છે કે તે તેના નાના (માતાના પિતા)ના માનમાં જ્યોર્જ સાતમા નું શાહી નામ પસંદ કરશે અને સ્ટુઅર્ટ રાજાઓ ચાર્લ્સ પહેલા (જેને શિરચ્છેદ કરવામાં આવ્યો હતો) અને ચાર્લ્સ બીજા (જેને દેશવટામાં જીવન વિતાવવું પડ્યું હતું) સાથેનું જોડાણ ટાળશે,[૧૦૪] જો કે તેમણે આ વાતનો જાહેરમાં ઇનકાર કર્યો છે.[૧૦૫]
તેમના 58મા જન્મદિવસે, પ્રિન્સ ઓફ વેલ્સની નિમણૂક બ્રિટીશ આર્મીમાં જનરલ તરીકે, રોયલ નેવીમાં એડમિરલ તરીકે અને રોયલ એર ફોર્સમાં એર ચીફ માર્શલ તરીકે તેમની માતા દ્વારા કરવામાં આવી હતી. (તેમને અગાઉ મેજર જનરલ તરીકે અને અન્ય સેવાઓમાં તેના સમકક્ષ હોદ્દાઓ પર નિમણૂક આપવામાં આવી હતી). તેમની પ્રથમ માનદ્ નિમણૂક 1969માં રોયલ રેજીમેન્ટ ઓફ વેલ્સના કર્નલ-ઇન-ચીફ તરીકે કરવામાં આવી હતી, ત્યારથી પ્રિન્સને વિવધ કોમનવેલ્થ દેશોમાં કર્નલ-ઇન-ચીફ, કર્નલ, ઓનરરી એર કમાન્ડર, એર કમાન્ડર-ઇન-ચીફ, ડેપ્યુટી કર્નલ-ઇન-ચીફ, રોયલ ઓનરરી કર્નલ, રોયલ કર્નલ, અને ઓનરરી કમાન્ડર તરીકે ઓછામાં ઓછી 36 લશ્કરી ટુકડીઓમાં માનદ્ હોદ્દાઓ આપવામાં આવ્યા છે. તેઓ બ્રિટીશ લશ્કરમાં રહેલી એક માત્ર વિદેશી રેજીમેન્ટ રોયલ ગુરખા રાયફલ્સના પણ કમાન્ડર છે.
ચાર્લ્સને વિવિધ દેશો તરફથી અનેક માનચાંદ અને ચંદ્રકો પણ મળ્યા છે. તેમને કોમનવેલ્થ પ્રદેશોમાંથી આઠ ઓર્ડર્સ આપવામાં આવ્યા છે અને પાંચ માનચાંદ મળ્યા છે અને વિદેશી રાજ્યો તરફથી 17 નિમણૂકો અને માનચાંદ મળ્યા છે, ઉપરાંત યુનાઇટેડ કિંગ્ડમ અને ન્યૂઝીલેન્ડની યુનિવર્સિટીઓ તરફથી નવ જેટલી માનદ્ ઉપાધિઓ મળી છે.
ઢાંચો:Ahnentafel top ઢાંચો:Ahnentafel-compact5 ઢાંચો:Ahnentafel bottom
તેમના પિતાના વંશમાં, પૈતૃક વારસ તરીકે, ચાર્લ્સ હાઉસ ઓફ ઓલ્ડનબર્ગની શાખા હાઉસ ઓફ શ્લેવિગ-હોલસ્ટેઇન-સોન્ડેરબર્ગ-ગ્લુક્સબર્ગના સભ્ય છે.[૧૦૬] યુનાઇટેડ કિંગ્ડમમાં, હાલની પરિસ્થિતિથી વિપરીત જો કોઇ સત્તા ભવિષ્યમાં ન મળે તો ચાર્લ્સ શાસક તરીકે વિન્ડસર નામનો ઉપયોગ કરશે.[N ૧]
અનેક આંતરિક-લગ્નો દ્વારા, ચાર્લ્સ 22 રીતે સોફિયા ઓફ હેનઓવરના વંશજ બને છે.
નામ | જન્મ | લગ્ન | મુદ્દો | |
---|---|---|---|---|
વેલ્સના રાજકુમાર વિલિયમ | 21 જૂન 1982 | |||
વેલ્સના રાજકુમાર હેન્રી | 15 સપ્ટેમ્બર 1984 |
|access-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)CS1 maint: unrecognized language (link)
|access-date=
(મદદ)
|date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)CS1 maint: extra punctuation (link)
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ) સંકલિત અંશો : "સરકાર તે વાતથી સંતુષ્ટ છે કે વેલ્સના રાજકુમાર અને શ્રીમતિ પાર્કર બાઉલ્સ માટે અન્ય કોઇ પણ વ્યક્તિની જેમ મેરેજ એક્ટ 1949ની ભાગ 3 અંતર્ગત નાગરિક ઉજવણી દ્વારા લગ્ન કરવા કાયદેસર છે. ¶ ઇંગ્લેન્ડમાં મેરેજ એક્ટ 1836 મારફતે સિવિલ મેરેજ દાખલ કરાયા હતા. કલમ 45 જણાવે છે કે કાયદો... કોઇ પણ રાજવી પરિવારના લગ્નને લાગુ નહીં પડે." ¶ પરંતુ મેરેજ એક્ટ 1949 દ્વારા 1836 કાયદામાં સિવિલ મેરેજની જોગવાઇઓ રદ કરવામાં આવી હતી. 1836 એક્ટના બાકીના તમામ ભાગ, કલમ 45 સહિત, રજિસ્ટ્રેશન સર્વિસ એક્ટ 1953 દ્વારા રદ કરાયા હતા. માટે 1836 એક્ટનો કોઇ પણ ભાગ કાયદાની પુસ્તક પર નહીં રહે."
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)CS1 maint: extra punctuation (link)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)CS1 maint: unrecognized language (link)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
(મદદ)
The 34th Bilderberg conference ended at Gleneagles Hotel, Perthshire, yesterday after a debate on the South African crisis attended by Prince Charles. He arrived for the economic debate on Saturday and stayed overnight at the hotel.
|archive-date=
(મદદ)
|archive-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)CS1 maint: extra punctuation (link)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |archive-date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)CS1 maint: extra punctuation (link)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
and |date=
(મદદ)
|access-date=
(મદદ)
|unused_data=
ignored (મદદ); CS1 maint: discouraged parameter (link)