૩૧ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
૧૯૨૪ – ઇટાલીના મિલાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય બચત બેંક કોંગ્રેસ (વર્લ્ડ સોસાયટી ઓફ સેવિંગ્સ બેન્ક)માં એસોસિયેશનના સભ્યો દ્વારા વિશ્વ બચત દિવસની જાહેરાત કરવામાં આવી.
૧૯૮૪ – ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની બે શીખ સુરક્ષા ગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી.
૨૦૧૧ – મનુષ્યની વૈશ્વિક વસ્તી સાત અબજ સુધી પહોંચી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસને સાત અબજના દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે.