૨૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
૭૯ – માઉન્ટ વિસુવિયસ જવાળામુખી સક્રિય બન્યો, યોગાનુયોગ આ દિવસ આગના રોમન દેવતા 'વલ્કન' (અગ્નિદેવ) માટેના ઉપવાસનો દિવસ હતો.
૧૯૦૪ – ઓટોમોબાઇલ ટાયર ચેઇન (બરફમાંથી વાહન ચલાવતી વખતે મહત્તમ ઘર્ષણ પ્રદાન કરવા માટે વાહનોના ટાયર પર ફિટ કરેલા સાંકળ જેવા ઉપકરણો) માટેના પેટન્ટ અધિકારો પ્રદાન કરવામાં આવ્યા.
૨૦૧૧ – લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન રાષ્ટ્રીય સંક્રમણ પરિષદના દળોએ બબ–અલ–અઝીઝિયા પર કબજો મેળવ્યા બાદ લિબિયાના નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તા પરથી ઉથલાવી દેવામાં આવ્યા.
જન્મ
૧૮૫૨ – રાધા ગોવિંદ કર, (Radha Gobinda Kar) ભારતીય ચિકિત્સક અને પરોપકારી (અ. ૧૯૧૮)